________________
૨૧૭
-
૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22
-
497
રાખીને ભસવા જેવું કઠણ કામ છે. સહેલામાં સહેલું એ છે કે એને લેવો નહિ
અને પ્રબળ પુણ્યના ઉદયથી જે પણ મળ્યો હોય તેને સંપૂર્ણ છોડી દેવો. સાપ ખિસ્સામાં રાખવો છતાં કરડે નહિ એવી અપેક્ષા રાખવા કરતાં સાપને છોડી દેવો સારો. સભાઃ સાપની દાઢોમાંથી ઝેરની કોથળી કાઢી લઈએ તો ? શું ઝેરની કોથળી તમે કાઢી નાંખી છે ? પરિગ્રહ એ સાપ છે અને પરિગ્રહની મૂચ્છ-મમતા, એ ઝેરની કોથળી છે. તમારી મૂચ્છ-મમતા નીકળી ગઈ છે ?
તમારી વાત તો બાજુમાં રાખો ! અમારી વાત કરીએ તો અમારે માટે પણ ઘણી ઘણી સાવધાનીઓ બતાવી છે. અહીં મૂકેલા રૂપિયાનું ઝેર સાધુને ન ચડે એટલા માટે જ્ઞાની ભગવંતોએ સાધુને કહ્યું છે કે, એની ઉપર નજર પણ નહિ માંડતા, દશની નોટ મૂકી કે સોની મૂકી, એ જોવાનું મન થાય તો પણ બંધન ઊભું થાય. માટે જ કહ્યું કે, “મુરપ વત: ' “માયા દેખી મુનિવર ચળે.” એટલે અમને એને અડવાની તો ના પાડી પણ એની સામે જોવાની પણ ના પાડી.
પૈસો રાખવો તે પણ બંધન, રખાવવો તે પણ અને રાખનારને સારો માનવો કે તેને ટેકો આપવો તે પણ બંધન. પૈસાવાળાને જોઈ સાધુને એની દયા આવે ?
સાધુએ પરિગ્રહ રાખ્યો નથી, રખાવ્યો નથી, પણ કોઈ આવીને સાધુને કહે કે, “સાહેબ ! ઓળખો છો આ ભાઈને ?” ૧૦૦ કરોડની પાર્ટી છે, ત્યારે સાધુ એને અનુમોદન મળે, ટેકો મળે, એવું કોઈ પણ વચન બોલે, તો એ બોલવાથી પણ સાધુ બંધાય. એનાથી સાધુનું પાંચમું મહાવ્રત જોખમમાં મૂકાય અને ચાલ્યું પણ જાય. સભા શું બોલવું સાધુએ ?
બોલવું ન પડે, અંદરથી ઉઠે. કોઈ કહે કે, આ ભાઈને ત્રીજા સ્ટેજનું કેન્સર છે, - એવું સાંભળીને સાધુને તેના પ્રત્યે જેવી દયા આવે તેવી દયા સાધુને પૈસાના બંધનવાળાને જોઈને આવે. આવી દયા જેને આવે એના મોઢામાંથી અનુમોદનાના ઉદ્ગારો ન નીકળે પણ દયાના-કરુણાના ઉદ્ગારો નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org