________________
૨૧૯
———
૨ – આતમ જાગો !
–
496
છે. આ તો મારે તમને જે મુદ્દો સમજાવવો છે, તે માટેનું દૃષ્ટાંત આપવાની ભૂમિકા કરી રહ્યો છું.
એ જમાનામાં આવનાર મહેમાનના સ્વાગત માટે જે ચલમ ફૂંકવા અપાતી, તેમાં તમાકું ભરેલું રહેતું, પણ એને સળગાવવા અંગારાની જરૂર રહેતી. કારણ કે લાઈટ-બાકસનો એ જમાનો ન હતો.
આ અંગારો લેવા છેક રસોડામાં જવું પડતું. રસોડામાં પણ અંગારો પકડવા દર વખતે ચીપિયો વગેરે સાધનો હાથવગાં ન રહેતાં, તેથી ગામડાના લોકો ચૂલામાંના એ અંગારાને સીધો હાથથી પકડી લેતા, પણ એમને ખબર હતી કે, આ અંગારો, બાળનારો છે, એટલે એને હાથમાં રમાડતાં રમાડતાં લઈને આવતા. રસોડું, ઓસરી, આંગણું, ચોક પસાર કરી છેક માઢ-બેઠક ખંડ સુધી આવતા અને મહેમાનની ચલમમાં એ અંગારો મૂકી આપતા, પણ ત્યાં સુધી એ અંગારાને હાથમાં એવી રીતે રમાડતા કે, ક્યાંય દાઝી ન જવાય. આ રીતે અગ્નિનો વ્યવહાર કરવા છતાં તેઓ ક્યારેય દાઝતા નહિ.
એઓ ક્યારે ય પણ એ અગ્નિને મુઠ્ઠી વાળીને ન લેતા, એને દાબીને પકડી ન રાખતા, અને એને ક્યારે ય ખિસ્સામાં ન મૂકતા. કારણ કે, એમને ખબર હતી કે આ અંગારો બાળનારો છે. માટે જ તેઓ સીધો અગ્નિ સાથે વ્યવહાર કરવા છતાં ક્યારે ય દાઝતા નહિ.
તે જ રીતે નવતત્ત્વના જાણકાર કે શ્રદ્ધાવાળા સમકિતી શ્રાવકને જ્યારે પૈસો લેવાનો વારો આવે ત્યારે એને બરાબર ખબર હોય કે, આ બાળનાર છે, એટલે એ હાથમાં લે ત્યારથી જ છોડવાની પેરવીમાં હોય. સાત ક્ષેત્ર વગેરેમાં વાપરવાની ભાવનામાં ૨મતો હોય, તક મળે કે તરત જ તે મળેલો પૈસો સાતક્ષેત્ર વગેરેમાં વાપરીને હળવાશ અનુભવતો હોય. તેને પૈસો સંઘરવો કે અંદર ભરવો ન ગમે. કારણ કે એ એને બાળનારો માને છે.
બોલો, તમારી શું સ્થિતિ છે ? પૈસો જ્યારથી આવ્યો ત્યારથી રમાડો છો ને ? ક્યારે વાપરું, ક્યારે વાપરું તેમ જ થાય છે ને? સભા સહેલું કરો ને ! પૈસાથી દાઝવું ન હોય તો પૈસો લેવો જ નહિ, એ સૌથી સહેલો રસ્તો છે. પૈસો રાખવો અને દાઝવું નહિ કે, સંસારમાં ડૂબવું નહિ, તે લોટ મોઢામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org