________________
૨૧૪
- ૨ - આતમ જાગો !
494
પરિગ્રહ ઘટાડતા જવાનું છે અને એમાંથી આગળ વધીને જેમણે પરિગ્રહનો ત્યાગ કર્યો, તે સાધુને કહ્યું કે, “માસા વિ જ પત્થણ પરિગ્રહને મનથી પણ ઈચ્છવાનો નથી. કારણ કે, પરિગ્રહ દરેક રીતે દુઃખદાયી છે.
એક તરફ તમે તમારી જાતને દેવ-ગુરુ ભક્તિકારક, સુશ્રાવક, એકવીશ ગુણસમેત, નમસ્કાર મહામંત્રના આરાધક – એવાં વિશેષણો ધરાવો અને બીજી તરફ તમે “પરિગ્રહ હેય છે, ત્યાગ કરવા યોગ્ય છે,' - એ વાત આવે ત્યારે આઘા-પાછા થવા માંડો તે કેમ ચાલે ? સભાઃ અમે આઘાપાછા થવા નથી ઈચ્છતા પણ અમને અમારી લાચારી લાગે છે.
પરિગ્રહ એ બંધન છે, છોડવા યોગ્ય છે, દુઃખનું કારણ છે – એવું તમે હૃદયથી સ્વીકારતા હો, આમ છતાં સત્ત્વની ખામી કે આસક્તિ વગેરે કારણે તમે પરિગ્રહને છોડી ન શકતા હો તો તમારું આજે નહિ તો કાલે પણ કલ્યાણ થશે. પણ તમારી આ સ્થિતિને ખરેખર તમે લાચારી માનો છો ? જેઓ એમ માને કે
આ જમાનામાં ધન-સંપત્તિ વગર ન ચાલે, આ બધામાં પાપ-પાપ કરે ન ચાલે. ન્યાય-નીતિની વાતો ન ચાલે” – આવી વિચારધારાવાળા લોકો અહીં આવીને કરોડો ખર્ચો તો પણ તેની કોઈ કિંમત નથી. કારણ કે તેમનું મિથ્યાત્વ અકબંધ છે, જ્યાં સુધી એમની આવી મનોવૃત્તિ હશે ત્યાં સુધી એમનું કલ્યાણ ક્યારેય નહિ થાય.
સભા સાહેબ ! આટલું બધું કડક કહેશો ? હા, આ ચોયણાની ભાષા છે. તમે સાચું, હિતકર, ભગવાનનું કહેલું સાંભળવા આવ્યા છો, એમ માનીને આટલું જોરથી બોલું છું. તમારા હિતાહિતની ઉપેક્ષા કરીને તમને ગમતું સંભળાવવાનું મારાથી નહિ બને. આમ છતાં જો તમારે ગમતું જ સાંભળવું હોય તો આ પોથી બંધ કરી દઉં.
જ્યાં સુધી મિથ્યાત્વ મંદ નહિ પડે ત્યાં સુધી વૈભવ ઉપર ન્યાયસંપન્નતાનો અંકશ નહિ ગમે. જેને ન્યાયસંપન્નતા ગમે, જે નીતિના માર્ગે જ વૈભવ મેળવે, તેનું મિથ્યાત્વ મંદ પડ્યું ગણાય. છેવટે વૈભવ મેળવવા જેને અનીતિ કરવી પડતી હોય તેને પણ તે જરાય ન ગમતી હોય, તો પણ મિથ્યાત મંદ પડ્યું ગણાય. બાકી તો મિથ્યાત્વ ગાઢ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org