________________
૨૧૩ – ૯ઃ પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 – 493 સભા તો “ન્યાયસંપન્નવિભવ:' - એમ શા માટે કહ્યું ?
ન્યાયસંપન્ન વૈભવ'ની જે વાત કરાઈ છે, તે વૈભવની આવશ્યકતા કે ઉપાદેયતા બતાવવા માટે નહિ પણ ન્યાયની નીતિની આવશ્યકતા, ઉપાદેયતા બતાવવા માટે કરાઈ છે.
ન્યાયસંપન્ન' એ પદ વૈભવની મહત્તા કે આવશ્યકતા બતાવતું નથી, એ પદ તો વૈભવ ઉપરનો અંકુશ છે.
મૂળમાં પરિગ્રહ પાપ છે. દુઃખનું કારણ છે, માટે તે રાખવા જેવો નથી, છોડવા જેવો જ છે. આમ છતાં જેઓ પરિગ્રહને છોડી શકતા નથી, તેવા વિવિધ કક્ષાના જીવોને લક્ષ્યમાં રાખીને પરિગ્રહ ઉપર વિવિધ રીતે અંકુશ મૂકવામાં આવ્યો છે.
માર્ગાનુસારીના વૈભવ ઉપર “ન્યાયસંપન્નતા' નો અંકુશ - ૧, સમ્યગ્દષ્ટિના વૈભવ ઉપર “હેયતાની પ્રતીતિ'નો અને “સમ્યગ્દર્શનને બાધ ન આવે એવા લોકો સાથે જ વ્યાપાર કરવાનો અંકુશ - ૨,
દેશવિરતિધરને માટે “કર્માદાનના ધંધાનો ત્યાગ કરવાનો અને પરિગ્રહના પરિમાણનો' અંકુશ - ૩. આ રીતે વિધવિધ કક્ષાના સાધકો ઉપર વિધવિધ કક્ષાના અંકુશને મૂકીને તેમને પરિગ્રહના બંધનથી બચાવવાનો અને છોડાવવાનો પ્રયત્ન કરાયો છે.
જેઓ હજુ દેશવિરતિ પણ પામ્યા નથી અને સમ્યગ્દર્શન પણ પામ્યા નથી, તેવા માર્ગાનુસારી કક્ષાના જીવોને હજુ પરિગ્રહ હેય, ત્યાજ્ય લાગ્યો નથી. તેથી તેને કહ્યું કે, જે પણ વૈભવ મેળવવો પડે તે નીતિના માર્ગે જ મેળવવો, અનીતિના માર્ગે ગમે તેટલો વૈભવ મળે તો પણ ન લેવો ન મેળવવો.
આ કક્ષામાંથી આગળ વધીને જે સમ્યગ્દષ્ટિ બન્યા, તેમને કહ્યું કે, નીતિના માર્ગે મળેલા વૈભવને પણ હય,ત્યાજ્ય માનવાનો અને તેને મેળવતાં સમ્યકત્વને ક્યાંય દૂષણ ન લાગે તેની કાળજી રાખવી.
દેશવિરતિધરની કક્ષાએ પહોંચેલાને કહ્યું કે, પરિગ્રહને ત્યાજ્ય માનીને નીતિના માર્ગે મળતા પરિગ્રહને પણ પરિમિત કરવાનો અને એને મેળવવામાં ક્યાંય કર્માદાનના ધંધા ન થઈ જાય, તેની કાળજી રાખવાની છે અને ધીમે ધીમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org