________________
૨૧ ૨.
- ૨ -- આતમ જાગો !
–
492
બરાબર સમજાઈ જાય તો આગળ હજુ ઘણી વાત કરવાની છે. આમ છતાં હજુ આગળ એટલા માટે નથી વધતો કે, જ્યાં સુધી આ વાસ્તવિકતા હૃદય સુધી નહિ પહોંચે, હૃદયમાં નહિ ઉતરે ત્યાં સુધી પરિગ્રહ પાછળની દોટ અટકશે નહિ.
આગમ ગ્રંથો માત્ર વાંચી-સાંભળી લેવા માટે વાંચવાના-સાંભળવાના નથી, પણ જીવનમાં જીવવા માટે વાંચવાના-સાંભળવાના છે.
કેટલાકનું તો અહીં પણ પ્લાનીંગ ચાલુ થઈ ગયું હશે. ક્યારે ઘરે જઈએ ! ક્યારે પાછો વેપાર કરીએ ! ક્યારે વ્યાપારમાં ઝંપલાવીએ અને ક્યારે ખર્ચેલું પણ બધું પાછું મેળવીએ ! એ વાત તો જવા દો, અહીં પણ આટલી અનુકૂળતા તો જોઈએ જ. આવી રૂમ જોઈએ જ, આટલી સગવડ તો જોઈએ જ અને આટલી સામગ્રી પણ જોઈએ જ - આવું થાય તે પણ પરિગ્રહવૃત્તિનું પરિણામ છે.
પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીને કોઈએ પૂછ્યું હતું કે, સુખનો સહેલામાં સહેલો માર્ગ બતાવો. ત્યારે તેઓશ્રીએ એક મંત્ર આપ્યો હતો કે, “મારે કાંઈ જોઈતું નથી.” આ કેટલું સીધુંસાદું વાક્ય છે, પણ ગંભીર અર્થથી ભરેલું છે. મહાપુરુષો આગમોનું દોહન કરીને ઊંચામાં ઊંચાં, ઊંડામાં ઊંડાં તત્ત્વોને પણ કેટલા સહેલા શબ્દોમાં પીરસી દે છે. ન્યાયથી મળેલું ધન પણ છે તો પાપ જ ? સભા: આ પરિગ્રહ ન્યાયપૂર્વક મેળવેલો હોય તો ચાલે કે નહિ ?
ના, ન ચાલે, પરિગ્રહ એટલે પરિગ્રહ, બંધન એટલે બંધન. “અનીતિના માર્ગે આવેલો પરિગ્રહ બંધન અને નીતિના માર્ગે આવેલો પરિગ્રહ બંધન નહિ - એવું નથી. નીતિના માર્ગે આવેલો પરિગ્રહ બંધન અને અનીતિના માર્ગે મેળવેલો પરિગ્રહ મહાબંધન. પણ બન્નેય બંધન તો ખરાં જ. એક બંધન અને બીજો મહાબંધન. સભા પૈસા વિના વ્યવહાર ચાલતો નથી.
ચલાવવો છે જ કોને ? પરિગ્રહથી ચાલતો વ્યવહાર નથી ચલાવવો, એ માટે તો આ બધો પ્રયત્ન છે. આપણે તો એવો વ્યવહાર જીવવો છે કે, જેમાં પરિગ્રહની જરૂર જ ન પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org