________________
૨ - આતમ જાગો !
વસ્તુના સ્વરૂપને વિવિધ રીતે સમજાવવા માટે કરાતી વિચારણાનો એક પ્રકાર છે. અનુયોગદ્વાર નામના આગમમાં એની વિસ્તારથી વાત કરવામાં આવી છે. અહીં સમય શબ્દના ૧ નામ સમય, રે સ્થાપના સમય, ૩ દ્રવ્ય સમય, ૪ કાળ સમય, ૫ - ક્ષેત્ર સમય, ૬ - કુતીર્થ સમય, ૭ - સંકેત સમય, ૮ - કુળ સમય, ૯ ગણ સમય, ૧૦ સંકર સમય,
૧૧ ગંડી સમય અને ૧૨- ભાવ સમય એમ બાર નિક્ષેપા કર્યા છે.
આ બધુ રજૂ કર્યા પછી કહ્યું કે, અહીં જે ‘સમય’ની વાત કરવાની છે, તે ‘ભાવ સમયની’ કરવાની છે. કેમકે એકમાત્ર ભાવસમય જ ઉપાદેય છે. બાકીના માત્ર જાણવા યોગ્ય છે. એથી તેમની માહિતી આપી છે અને ભાવસમય આરાધવા યોગ્ય હોઈ એની સવિગત માહિતી આપી છે.
૪
-
‘સમય’ શબ્દના પણ ઘણા અર્થ થાય છે. સમય એટલે કાળ, સમય એટલે અવસર, સમય એટલે શાસ્ત્ર, સમય એટલે સિદ્ધાંત, સમય એટલે દર્શન, સમય એટલે મત. એવા તો ઢગલાબંધ અર્થ કોષગ્રંથોમાં મળે છે.
સભા : અહીં ‘સમય' શબ્દનો કયો અર્થ લેવાનો ?
284
અહીં મુખ્યતયા સમય એટલે ‘દર્શન’, ‘શાસ્ત્ર', ‘સિદ્ધાંત’ એવો અર્થ સમજવાનો છે.
આ મહાન આગમની વાતો કરશું, એ દરમ્યાન વારંવાર ‘સમય', ‘સ્વસમય’, ‘પરસમય' એવા શબ્દો આવશે. આને માટે ‘સ્વસમય-પરસમય વક્તવ્યતા' આવો શબ્દપ્રયોગ પણ જોવા મળશે.
સભા : ‘સ્વસમય’ એટલે શું અને ‘પરસમય’ એટલે શું ?
સ્વસમય એટલે જૈનદર્શન તથા તેના સિદ્ધાંતો અને પરસમય એટલે અજૈન દર્શન તથા તેના સિદ્ધાંતો.
Jain Education International
૫૨મતા૨ક પરમાત્માએ કેવળજ્ઞાન પામ્યા પછી જે માર્ગ જોયો અને તેનું જે નિરૂપણ કર્યું, તે ‘સ્વસમય’. જેની પાસે વીતરાગતા નથી - સર્વજ્ઞતા નથી, આત્માને જોયો નથી-જાણ્યો નથી અને આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટેનો માર્ગ પણ જેણે જોયો નથી-જાણ્યો નથી, તેવાઓએ પોતાની મતિકલ્પનાથી થોડું અહીંથી - થોડું ત્યાંથી લઈને જે મતો પ્રવર્તાવ્યા, તે બધા ‘પ૨સમય.’ એમાંના
For Private & Personal Use Only
www.jainelibrary.org