________________
૧ઃ બોઘ પામો ! બોઘ પામો! પ્રભુ વીટની એ વાણી છે
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ પરમતારક પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીને પ્રાપ્ત કરીને અન્ય દસ ગણધર ભગવંતોની જેમ જ મહાન દ્વાદશાંગીની રચના કરી, જેને પરમતારક પરમાત્માએ પોતાની કેવલ્યદૃષ્ટિથી પ્રમાણી, જે પૈકીનું બીજું અંગ-આગમ, શ્રી સૂયગડાંગ સૂત્ર જેનું નામ છે, તેના દ્વારા આત્માને જાગવાનો, જાગીને આત્માને અનાદિકાળથી વળગેલાં બંધનોને ઓળખવાનો, તે બંધનોને ઓળખીને તેને તોડવાનો ઉપદેશ આપ્યો છે અને તે પછી તે માટેની સાધના કઈ ? તે માટે કેવો પુરુષાર્થ કરવો ? વગેરે બાબતોનું ઉચ્ચતમ માર્ગદર્શન આપ્યું છે.
અત્યાર સુધીના દિવસોમાં આપણે, આ આગમનું શ્રવણ કરવા માટે કેવી પૂર્વતૈયારી હોવી જોઈએ ? તેની વાતો કરી, તેમજ તેમાં આવતા વિષયોની પણ વિચારણા કરી. આજે એ આગમનો પહેલો શ્રુતસ્કંધ, તેનું પહેલું અધ્યયન અને તેમાં આવતા ચાર ઉદ્દેશાની અને તેનાં નામો વગેરેની વાત કરીને આગળ વધવું છે. સમય અધ્યયનના વિવિધ રૂપો :
પહેલા અધ્યયનનું નામ “સમય અધ્યયન' છે. નિર્યુક્તિકાર પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ આ “સમય” શબ્દના બાર નિક્ષેપાઓ કર્યા છે.
આપણે ત્યાં કોઈપણ વાતની રજૂઆત કરતાં સામાન્ય રીતે ચાર નિક્ષેપાથી વિચારણા થાય છે. એ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, નિક્ષેપા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org