________________
૨૦૯
–
૯ઃ પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22
–
489,
અજીવ વસ્તુ, પછી તે સોના-ચાંદીના રૂપે હોય કે, દર-દાગીનાના રૂપે હોય, રોકડ રકમના રૂપે હોય કે મકાન-જમીનના રૂપે હોય કે અન્ય કોઈ પણ રૂપે હોય, તે બધા અચિત્ત પરિગ્રહ છે, તેથી તે બંધન છે. આ પરિગ્રહનું બંધન દુઃખની પરંપરાનું સર્જન કરે છે. ઘણાં બધાં પાપોનું મૂળ આ પરિગ્રહનું બંધન છે.
એક જગ્યાએ લખ્યું છે કે, સર્વ પાપોનું મૂળ લોભ છે, પાપનો બાપ લોભ છે. તે લોભ પણ આ પરિગ્રહ સાથે સંકળાયેલો છે.
નિશ્ચયનયથી લોભવૃત્તિ – એ પાપનું મૂળ છે અને વ્યવહારનયથી પરિગ્રહ જ પાપનું મૂળ છે. અર્થ દુઃખનું કારણ છે :
જગતના જીવો સુખ મેળવવા માટે, જાતની સુરક્ષા માટે, મન અને ઈન્દ્રિયોને પોષવા માટે, કષાયોની ભૂખને પૂરવા માટે, આભિમાનિક ભાવોને સંતોષવા માટે, પરિગ્રહને મેળવવાનો, સાચવવાનો, વધારવાનો અને તેનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે.
ભગવાન કહે છે, આ તમારો ભ્રમ છે કે પરિગ્રહથી તમારાં દુઃખો ટળશે અને તમને સુખ મળશે. તમે સમજો કે, પરિગ્રહ એ સુખનું કારણ નથી, સુખનું સાધન નથી, સુખનું મૂળ નથી, એ દુઃખનું જ કારણ છે, દુઃખનું જ સાધન છે અને દુઃખનું જ મૂળ છે.
જે પરિગ્રહને ભેગો કરે છે, તે સુખને નહિ પણ દુઃખને ભેગું કરે છે. એક સ્થળે લખ્યું છે કે –
‘કનાર્નને સુર-મતાનાં ૪ રક્ષot |
आये दुःखं व्यये दुःखं, धिगर्थो दुःखकारणम् ।।' ‘અર્થ એટલે પૈસો, અર્થ એટલે પરિગ્રહ. આ અર્થને મેળવવામાં દુઃખ, મેળવેલાના રક્ષણમાં દુખ, આવે ત્યારે
પણ દુઃખ અને જાય ત્યારે પણ દુઃખ.' આ રીતે દુઃખના કારણભૂત અર્થને ધિક્કાર થાઓ ! પૈસો દુઃખનું કારણ છે. એ વાત દરેક દૃષ્ટિકોણથી બરાબર સમજી લેવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org