________________
૯ઃ પટિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધરભગવંતશ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ જંબુસ્વામીજીને ઉદ્દેશીને આત્મજાગૃતિનો નાદ સંભળાવીને, બંધનને ઓળખવાની અને બંધનને ઓળખીને તેને તોડવાની જે વાત કરી છે, તે બધી જ વાત શ્રી સૂયગડાંગજી નામના બીજા અંગ આગમમાં વિસ્તારથી વર્ણવાયેલ છે.
જ્યારે શ્રી સુધર્માસ્વામીજીએ જંબૂસ્વામીજીને બંધનને ઓળખીને તેને તોડવાનો ઉપદેશ આપ્યો ત્યારે જંબૂસ્વામીજીએ પ્રશ્ન કર્યો કે, “ભગવંત ! ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે ? અને તેને તોડવાનો માર્ગ કયો છે ?' તેના અનુસંધાનમાં મિથ્યાત્વ અને અવિરતિ એ બંધન છે, એ વાત કર્યા બાદ હવે પરિગ્રહ એ પણ બંધન છે, એમ સમજાવે છે. સજીવ પણ પરિગ્રહ : નિર્જીવ પણ પરિગ્રહ :
પરિગ્રહ એ બહુ મોટું બંધન છે. તે સજીવ હોય કે નિર્જીવ હોય, કોઈપણ વસ્તુનો સંગ્રહ કરવો, તેના ઉપર માલિકી કરવી તે બધો પરિગ્રહ છે અને તે બંધન છે.
સ્વયં આ પરિગ્રહ રાખવો તે જેમ બંધન છે, તેમ અન્યની પાસે પરિગ્રહ રખાવવો કે જે કોઈ પરિગ્રહ રાખતું હોય તેને અનુમોદન આપવું તે બધું જ બંધન છે.
ભેગો કરેલો કે કરાતો પરિગ્રહ પછી તે સજીવ હોય કે અજીવ હોય, મોટો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org