SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સ્ત્રોત 'चित्तमंतमचित्तं वा, परिगिझ किसामवि । अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुञ्चइ ।।२।।' સજીવ કે અજીવ કોઈપણ પદાર્થનો પરિગ્રહ કરવો કે તેમ કરતા અન્યને અનુમોદન આપવું, - આમ કરવાથી દુ:ખથી છૂટાતું નથી.' इह बन्धनं कर्म तद्धेतवो वाऽभिधीयन्ते । तत्र न निदानमन्तरेण निदानिनो जन्म इति निदानमेव दर्शयति । तत्रापि सर्वारम्भा दर्शयति। ___ तत्रापि सर्वारम्भाः कर्मोपादानरूपा प्रायश आत्मीयग्रहोत्थाना इति कृत्वाऽऽदौ परिग्रहमेव दर्शितवान् । चित्तम्-उपयोगो ज्ञानं तद्विद्यते यस्य तश्चित्तवत् द्विपद-चतुष्पदादि, ततोऽन्यदचित्तवत्कनकरजतादि, तदुभयरूपमपि परिग्रहं परिगृह्य कृशमपि स्तोकमपि तृणतुषादिकमपीत्यर्थः । यदि वा कसनं कसः - परिग्रहग्रहणबुद्धया जीवस्य गमनपरिणाम રૂતિ થાવત્ L xxx તારા ___ तदेवं स्वतः परिग्रहं परिगृह्य, अन्यान्वा ग्राहयित्वा, गृह्णतो वाऽन्याननुज्ञाय दुःखयति इति दुःखम् - अष्टप्रकारं कर्म तत्फलं वा अशातोदयादिरूपं तस्मात्र मुच्यते इति परिग्रहाग्रह एव परमार्थतोऽनर्थमूलं भवति ।' ‘કર્મ અથવા કર્મનાં કારણોને બંધન કહેવાય છે. કારણ વિના કાર્ય થતું નથી. તેથી તે (કર્મબંધ)નાં કારણોને જ જણાવે છે. દરેક પ્રકારના આરંભો કર્મબંધનાં કારણો છે. કર્મના મૂળ કારણભૂત દરેક આરંભો મોટે ભાગે મમત્વને કારણે થાય છે, તેથી સૌ પ્રથમ પરિગ્રહને જ (કર્મબંધના કારણ તરીકે) દર્શાવેલ છે. ચિત્ત એટલે ઉપયોગ, જ્ઞાન. તે જેને હોય તે ચિત્તવાન-સચિત્ત કહેવાય છે. તે દ્વિપદ (દેવ-મનુષ્ય-પંખી) ચતુષ્પદ (ગાય-ભેંસ) આદિ (સ્થાવર જીવો વગેરે) છે. તે સિવાયતા એટલે કે ઉપયોગ-જ્ઞાનરૂપ ચિત વગરના હોય તે અચિત્ત-સુવર્ણ, રજત વગેરે. સચિત-સજીવ કે અચિત્ત-અજીવ રૂપ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ ગ્રહણ કરીને, તે પછી ઘાસના છોડવા જેટલો થોડો પણ કેમ ન હોય (તે પરિગ્રહ છે.) અથવા તો કરવું તે કસ એટલે કે પરિગ્રહ ગ્રહણ કરવાની ઈચ્છાથી જીવતો પ્રવૃત્તિનો પરિણામ (તે પણ પરિગ્રહ) છે. તે આ મુજબ સ્વયં પરિગ્રહને ગ્રહણ કરીને અથવા અન્યની પાસે ગ્રહણ કરાવીને અથવા તો ગ્રહણ કરતા અચને અનુમતિ આપીને, (જીવ દુઃખથી મુક્ત થતો નથી) જે દુઃખી કરે તે દુઃખ કહેવાય. આઠ પ્રકારનું કર્મ અથવા અશાતાના ઉદયરૂપ તેનું ફળ તેનાથી (પરિગ્રહ)મુક્ત થતો નથી એટલે પરિગ્રહનો આગ્રહ જ પરમાર્થથી અનર્થનું મૂળ બને છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy