________________
૨૦૩
–
૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21
–
483
તમારી આવી અવદશા કરશે. આ સંસાર બહુ જ વિચિત્ર છે – એમાં કશું જ અશક્ય નથી.
ઘણાં તો મરતાં કોલ કરાર કરે, ભવોભવ તમારો સાથ મળજો. સાત-સાત જન્મારા સુધી તમારો સંબંધ રહેજો ! સાથે મેળવીને શું કરવું છે? સુધર્માસ્વામીજી કહે છે કે આ બધું બંધન છે.
આજ સુધીમાં અજ્ઞાનવશ કદાચ તમે પણ બંધનને વધારનારી આડી અવળી જ વાતો કરી હોય, પણ હવે નક્કી કરો કે, આજ પછી જે પણ વાત કરશું તે બંધન ઘટાડનારી વાત કરશું, વધારનારી નહિ. ઘરે જાઓ તો પત્નીને વિવેકપૂર્વક કહેજો કે,
આજ સુધીમાં એવી એવી વાતો કરી છે કે જેને કારણે મારા મનમાં તારું બંધન ઉભું થાય અને તારા મનમાં મારું બંધન ઊભું થાય. પણ હવે આજથી શુભ શરૂઆત કરવી છે, -
નાિ ને વોડુ નામિત્ર સ$ !” એવું ન જ બની શકે તો છેવટે એટલું તો નક્કી કરો કે, આજ પછી પરસ્પરનું બંધન ઊભું થાય કે બંધન વધે તેવો એક વાર્તાલાપ કરવો નથી. સભા હૃદય નિષ્ફર ન થાય ?
ના, દયાળુ થાય, મોટું પડેલું નહિ રાખવાનું, પ્રસન્ન રાખવાનું, ભાષા બોલવી પડે તો વિવેકવાળી, સહાનુભૂતિવાળી, સદ્ભાવવાળી બોલવી, પણ રાગ વધે તેવી ભાષા ન બોલવી. પરસ્પર મમતા વધે તેવી કોઈ વાત ન કરવી. આટલું થશે તોપણ નુકસાન થતું અટકશે અને લાભ પણ થશે.
બંધન તોડવાની વાત તો જુદી પણ બંધન વધે નહિ તેવો પણ પ્રયત્ન કરશો તોપણ મોટા નુકસાનથી બચી જશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org