________________
૨૦૨
૨ – આતમ જાગો !'
482
પણ એ તાકાત છે અને આગળ વધીને પૂરા પરિવારમાં પણ એ તાકાત છે, એક-એક સ્વજનની મમતામાં પણ એ તાકાત છે કે, એ તમને પકડી પકડીને દુર્ગતિમાં લઈ જશે. કોઈ પણ વસ્તુને તો યાદ કરો, એટલે એના ઉપર તમને
બંધન' શબ્દ જોડાયેલો દેખાય. જેમ દવાની બોટલો ઉપર રેડ બોક્ષમાં ‘પોઈઝન' - એમ લખેલું હોય છે, તેમ દરેક ચીજ ઉપર તમને બંધન છે, નરકે લઈ જનાર છે' - એમ દેખાવું જોઈએ, વંચાવું જોઈએ. આ પરમતત્ત્વ છે. તમે આ વાતને હળવાશમાં ન લેશો, એનાથી તમારું જ અકલ્યાણ થશે. આ વાત અતિ ગંભીર છે અને તમે એને અતિ ગંભીરતાથી લેશો તો જ તમારું કલ્યાણ થશે.
ફરી પણ તમારું ધ્યાન દોરવા માગું છું કે, પત્નીના બંધનમાં ફસાયેલા પણ દુર્ગતિમાં ગયા અને પુત્રના બંધનમાં ફસાયેલા પણ દુર્ગતિમાં ગયા, મકાનના બંધનમાં ફસાયેલાં પણ દુર્ગતિમાં ગયા અને રાચરચીલું કે પૈસા ટકામાં ફસાયેલા પણ દુર્ગતિમાં ગયા.
પરિગ્રહના બંધનમાંથી કર્મનું બંધન, કર્મના બંધનમાંથી દુર્ગતિનું બંધન અને આ રીતે દુર્ગતિના બંધનમાં ફસાયેલાની દશા શું થવાની ? એ બધા કેવા કેવા અવતારોમાં ક્યાં ક્યાં પેદા થઈને કેવી કેવી વિડંબણા ભોગવવાના ?
બિલાડી, ગરોળી, દેડકાં, કૂતરાં, ઉંદર, વાંદા કે ઊધઈ વગેરે કેવા કેવા સ્વરૂપે પોતે પોતાના ઘરમાં ઘરની મમતાના કારણે પેદા થવાના અને ઘરમાં પેદા થયા પછી એ જ ઘરનાં પોતે પેદા કરેલાં સંતોનો વગેરે પરિવાર તેમની પોતાની સુખ-સુરક્ષા માટે તમને ઘરમાંથી બહાર કાઢવાના, મારવાના, ઉપરથી નીચે ફેંકવાના. એ મારનારને ખબર નહિ હોય કે તેનાં જ પોતાનાં મા-બાપ કે દીકરા-દીકરી આ સ્વરૂપે અહીં પેદા થયાં છે.
કેટલાય લોકો ઘરની સાફસફાઈ માટે, સુરક્ષા માટે જે જે જીવો ઉપર દવા છાંટીને જેને મારી નાંખે છે કે ઝેરી વસ્તુ ખવરાવીને જેને મારી નાંખે છે કે, પકડીને બારીમાંથી જેને નીચે ફેંકી દે છે, બને કે એમાંનાં કેટલાંક પોતાના જ પૂર્વજ, માતા-પિતા, પુત્ર-પુત્રી કે સ્વજન પણ હોઈ શકે.
ભવિષ્યમાં એવું પણ બની શકે કે, તમે પણ પરિગ્રહની મમતાના કારણે ત્યાં જ પેદા થાઓ અને જેના ઉપર મમતા કરીને મરશો તે તમારાં સંતાનો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org