________________
૨૦૧ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - ૧ – 481 આવું તો એટલી નિરાંત રહે અને વ્યાખ્યાન શાંતિથી સંભળાય નહિ તો મન ત્યાં જ રહે.” એક જુત્તાનું પણ બંધન કેવું ? તમે વિચારો કે, વ્યક્તિને એક-એક બંધન કેવું પડે છે.
એવા શ્રીમંતો મેં જોયા છે કે કોઈ સામાન્ય માણસ આવીને બાજુમાં બેઠો હોય તો ચારવાર ચહેરો જુવે અને વારંવાર એનો હાથ પોતાના ખિસ્સા ઉપર જાય. જાણે કે એના પોતાના સિવાયના બીજા બધા ચોર જ હશે.
પોતાના તરફથી અઠ્ઠમનાં અત્તરવાયણાં અને પારણાં રાખે. એમાં અચુક હાજર રહે અને નજર રાખે કે મફતનું તો કોઈ ખાઈ જતું નથી ને ? ધર્માનુષ્ઠાન કરવા છતાં તે સમયે પણ ચિત્તવૃત્તિને આવી સંક્લિષ્ટ બનાવવાનું કામ પણ આ પરિગ્રહની મમતા કરે છે. પરિગ્રહની મમતા તોડવાના ઉપાયો :
પરિગ્રહના બંધનથી છૂટવા પરિગ્રહની મમતા તોડવી જરૂરી છે અને તે માટે શુભ ચિંતન-ભાવના કરવાં બહુ જરૂરી છે. કદાચ તમારી પાસે એ માટે ઊંડું શાસ્ત્રજ્ઞાન ન હોય તો પણ તમે કરી શકો એવો ચિંતન-ભાવનાનો માર્ગ મારે તમને બતાવવો છે.
તમે આજ સુધીમાં જે કાંઈ વસાવ્યું છે, ભેગું કર્યું છે તે બધું આંખ સામે લાવવાનું છે. આમ તો રોજ લાવો જ છો. પણ હવે જુદા સ્વરૂપે લાવવાનું છે. એનું ચિંતન-ભાવના-ધ્યાન જુદા સ્વરૂપે કરવાનાં છે.
એક એક વસ્તુને, વ્યક્તિને, આંખ સામે લાવીને વિચારવું જોઈએ કે, આ બંધન છે, આનામાં મને બાંધવાની તાકાત છે, આ મને બાંધીને દુર્ગતિમાં લઈ જશે. ઘસડીને દુર્ગતિમાં લઈ જશે. આમ વિચારી દરેક વસ્તુને યાદ કરવી અને એની સાથે આ બંધન છે, આ બંધન છે, એમ સ્મૃતિપંથમાં લાવવું!
પૈસો એ બંધન છે. પત્ની એ બંધન છે, પુત્ર-પરિવાર એ બંધન છે. સ્વજનવર્તુળ એ બંધન છે. બંગલો, ફ્લેટ, ફર્નિચર, ગાડી વગેરે બધું જ બંધન છે, આ બધામાં મને દુર્ગતિમાં લઈ જવાની તાકાત છે.
એક રૂપિયાની નોટમાં પણ એ તાકાત છે કે, મને નરકે લઈ જાય. ફર્નિચરમાં પણ એ તાકાત છે. દાગીનામાં પણ એ તાકાત છે. કપડાંની જોડમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org