________________
૨૦૦
-
૨ - આતમ જાગો ! -
480
રૂંવાડાં ઊભાં થઈ જાય છે અને આજે એમનું નામ સાંભળતાં અમારી આંખો
ય ભીની થાય છે, એ તો આપ પણ જોઈ શકો છો. પણ એટલાથી મને સંતોષ નથી. સાચા અર્થમાં એ મહાપુરુષ ગમ્યા ત્યારે કહેવાય કે જ્યારે એમની કહેલી દરેક વાત ગમે. જ્યાં સુધી તેમની કહેલી દરેક વાત ન ગમે ત્યાં સુધી એ મહાપુરુષ બરાબર ગમ્યા છે એમ ન કહેવાય.
બોલો આ ઓઘો બહુ ગમે ? આ શાસ્ત્રો બહુ ગમે ? શાસ્ત્ર અને ઓઘો આ બે જો ન ગમ્યા હોય, છતાં તમે કહો કે ગુરુદેવ ગમ્યા તો તે ભ્રમ છે. કોઈ દિવસ ઓશીકું ભીનું થયું ? કેવા ગુરુદેવ મળ્યા ? આઠ વર્ષે સંસાર છોડવાનું કહ્યું? જિંદગીનાં કેટલાં વર્ષ વીત્યાં ? એમની પાછળ-પાછળ ફર્યા, એમના નામે જગતમાં ઓળખાણા, ગવાણા અને ઘણા ઘણા લાભો મેળવ્યા. આજે ૧૮-૨૮૩૮-૪૮-૫૮-૬૮ વર્ષની ઉમરે પહોંચ્યા, હવે બે જ વર્ષ બાકી રહ્યાં છે. દીક્ષા નહીં લઉં તો જન્મારો એળે જશે. આવો કોઈ વિચાર આવે છે ? એ માટે રડવું આવે છે? આંખો ભીની થાય છે ? કોઈ કહે કેમ રડો છો ? તો તમારા મોઢામાંથી સહેજે ઉદ્ગારો સરી પડેને કે, “તકલીફ કોઈ નથી પણ મારા ગુરુદેવની વાત અમલમાં મૂકી શક્યો નહિ તેનું દુઃખ છે.” મૂળ વાત ઉપર આવીએ.
બાકીનાં બંધનો તો વીંટળાય તો બાંધે પણ આ પરિગ્રહને તો અડો તો ય બાંધે છે.
હું મુંબઈમાં હતો - વાચના શ્રેણીમાં બરાબર મારી સામે એક ભાઈ બેઠા હતા. એમણે પોતાની આગળ એક થેલી મૂકી હતી. એમની થેલીમાં કાંઈક હતું. મને શંકા પડી કે ક્યાંય વ્યાખ્યાનનું ટેપ રેકોર્ડીંગ થતું તો નથી ને ? મેં યોગ્ય વ્યક્તિને ઈશારો કરી, તપાસ કરવા જણાવ્યું. તે ગયા ને કહ્યું, “ભાઈ થેલી ખોલવી પડશે, “શું કામ છે ?” “અંદર ટેપ નથી ને ?' પેલા ભાઈએ કહ્યું કે, “ના, નથી. આમ છતાં એમણે થેલી ખોલવાની ઘસીને ના પાડી, એટલે તપાસ કરનારને વધારે વહેમ પડ્યો. સમજાવીને થેલી ખોલી તો. થેલીમાંથી ટેપ રેકૉર્ડર ન નીકળ્યું, પણ જત્તાં નીકળ્યાં. જોનારના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમને પૂછ્યું કે, “આ રીતે થેલીમાં જુત્તાં ભરીને સામે થેલી રાખીને વ્યાખ્યાન સાંભળવાનું કાંઈ કારણ ?” એમણે જવાબ આપ્યો, “વ્યાખ્યાન શાંતિથી સંભળાય તે માટે. જો જુત્તાં બહાર મૂકીને આવું તો મારો જીવ ત્યાં રહે, લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org