________________
૧૯૯ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 – 479 સારા અને સાચા બધાને ગમે જ, એવો નિયમ નથી :
ઘણા વિચારે કે રામચંદ્રસૂરિ મહારાજ બોલતા તે શબ્દો અમે કેમ ન બોલીએ ? પણ ના, ત્યાં જ મોટી ભૂલ થાય છે. એ મા હતા. આધ્યાત્મિક જગતની મા હતા. એ રામચંદ્રસૂરિ મહારાજા હતા. સાચા ધર્માચાર્ય હતા. વિશિષ્ટ કોટીની મહાકરુણા ભાવના તેમના હૈયાને વરેલી હતી. સાયણાવાયણા-ચોયણી-પડિચોયણા કરવાનો તેમને હક હતો, એમને થપ્પડ મારવાનો અધિકાર હતો - કડવાં વેણ બોલવાનોય અધિકાર હતો - અને જરૂર પડે આંખ લાલ કરવાનો અધિકાર હતો. તેમના ચાળા-તમારે-મારે ન કરાય. હું હૃદયથી કહીશ કે એ સગ્ગી મા હતી અને અમારા સૌના જીવનમાં અમને અમારી સગ્ગી મા અને સગ્ગા બાપે જે વાત્સલ્ય નથી આપ્યું તે વાત્સલ્ય તેમણે આપ્યું છે. પણ તે કરુણામાં, તે વાત્સલ્યમાં મોહનો પડછાયો ન હતો. ક્યારેય એમને કોઈને પોતાના બનાવવાની ભાવના ન હતી. કોઈની પાસેથી કામ કઢાવી લેવાની વૃત્તિ ન હતી. બધાનું આત્મહિત કરવાની ભાવના હતી. બધાને શાસનના બનાવવાની ભાવના હતી.
સભા : છતાં તેઓ બધાને કેમ ગમતા ન હતા ?
સારી અને સાચી વ્યક્તિ બધાને ગમે જ એવો કોઈ નિયમ નથી – એ યોગ્યને જ ગમે. જેમ તેઓ ઘણાંને ગમતા ન હતા તેમ તેઓ ઘણાં ઘણાંને એવા ગમતા હતા કે, તેઓ એમની ખાતર પોતાનું જીવન ન્યોછાવર કરી દેવા તૈયાર હતા.
જે એમના નિકટના પરિચયમાં આવ્યા, નિઃસ્વાર્થભાવે પરિચયમાં આવ્યા, સત્યના અર્થી બનીને પરિચયમાં આવ્યા, આત્મકલ્યાણ માટે પરિચયમાં આવ્યા, એ બધાને એ બહુ જ ગમ્યા. બહુ બહુ ગમ્યા. સગા માવતર કરતાં ય વધારે ગમ્યા. સભા એ તો અમે પણ અનુભવ્યું છે.
એ જ મારે કહેવું છે. બાકી સાચા અને સારા મહાપુરુષો બધાયને ગમે જ એવું ક્યારેય બન્યું નથી.
ભગવાન શ્રી મહાવીરદેવ પણ બધાને ક્યાં ગમતા હતા ? સૂર્ય ઉગે છે તે પણ બધાને ગમતો નથી. બીજાની ચિંતા છોડીને આપણી ખુદની ચિંતા કરો કે આપણને એ મહાપુરુષ ગમ્યા કે ન ગમ્યા ?
સભા અમને તો બહુ બહુ ગમ્યા. એટલે તો એમનું નામ સાંભળતાં ય અમારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org