________________
૧૯૮
-
૨ - આતમ જાગો ! –
478
શ્રાપ વાળી ન હોવી જોઈએ. પરિગ્રહ ભેગો કરે તેને જ્ઞાની ભગવંતોએ નરક ગતિ કહી છે તેમ બોલી શકાય. “પરિગ્રહ દુર્ગતિનું કારણ છે. દુર્ગતિથી બચવાની ઇચ્છાવાળાએ પરિગ્રહ છોડવો જોઈએ. પરિગ્રહ ભેગો કરીને દુર્ગતિથી બચવાની ઇચ્છા કરવી તે ઝેર ખાઈને જીવવાની ઇચ્છા રાખવા જેવું છે. આગમગ્રંથો-શાસ્ત્રગ્રંથોમાં પરિગ્રહને દુર્ગતિના અને મહાપરિગ્રહને નરકગતિના કારણ તરીકે દર્શાવેલ છે. તમારે જો દુર્ગતિથી બચવું જ હોય તો તમારે પરિગ્રહને છોડવો જ જોઈએ. પરિગ્રહને છોડ્યા વિના દુર્ગતિથી બચવાની ઇચ્છા ક્યારેય પૂરી નહિ થાય.” વગેરે બોલી શકાય. બોલવામાં વિવેક જોઈએ. જન્મદાત્રી મા એ “મા” પણ છે અને પિતાની પત્ની પણ છે, આમ છતાં એને માટે “મા” શબ્દ જ વપરાય એના જેવી આ વાત છે.
તારે કઈ ગતિમાં જવું છે ?' તેમ પણ બોલે, પણ તે ભાષા “માના હૈયાની હોવી જોઈએ. જીવ યોગ્ય હોય અને ગુરુના હૈયામાં કરુણાબુદ્ધિ હોય તો ચોયણાની ભાષામાં વિવેકપૂર્વક કડક શબ્દો પણ બોલી શકાય. વર્ષો પૂર્વેની અમદાવાદમાં બનેલી ઘટના કહું.
એક શ્રીમંતે મિલનો સોદો કર્યો એની એના ગુરુદેવને ખબર પડી તો બીજા દિવસે જ્યારે નિત્યક્રમ મુજબ વંદન કરવા ગયો ત્યારે એનો પગ નહોતો ઉપડતો. આમ છતાં જ્યારે ઉપાશ્રયે પહોંચ્યો અને બન્નેની નજર મળી ત્યારે, કરુણાસાગર ગુરુદેવે ઊંચો અવાજ કરીને પૂછયું કે, “કઈ નરકમાં જવું છે તારે કે તે આ બધા ધંધા માંડ્યા છે' - આ આક્રોશમાં શ્રાવકને સગી માની કરુણા દેખાઈ; એથી એ ગુરુના પગમાં પડી ગયો અને ભીની આંખે કહ્યું કે, “લોભને વશ થઈને મારાથી આ કામ થઈ ગયું છે, આપ મને માફ કરો !” સાચા સાધુશ્રાવકનો આવો પણ વ્યવહાર હોય. માનો માર પણ મીઠ્ઠો લાગે. પણ હૈયું માનું હોવું જોઈએ. | નાના છોકરામાં પણ અક્કલ હોય છે, એ તમારો ચહેરો જુવે, તમે હસતા દેખાવ ને જોરથી ધબ્બો મારો તો એ માર ખાઈને પણ એ ખીલ-ખીલ હસે. પણ જો તમે જરાક ગરમ થઈને બોલો કે સામાન્ય હાથ અડાડો તો પણ તે રડવા બેસે. મોટો ભેંકડો તાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org