SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ૨ - આતમ જાગો ! ——– – 474 તો લુખ્ખો રોટલો કેમ પીરસો, ઘેબર કેમ નહીં ?' જવાબમાં પત્નીએ કહ્યું કે, “શું કરું ? ઘેબર તો સરસ બન્યાં હતાં, પણ ઘેબર ઉતરતાંની સાથે જ જમાઈ આવ્યો અને સાથે એના મિત્રને લઈને આવ્યો. બેયને એક એક ઘેબર પીરસવું પડ્યું અને આપણા ભાગે તો રોટલો ય ન રહ્યો. આજનો આ લુખ્ખો રોટલો ય ઉછીના લાવેલા લોટમાંથી બનાવ્યો છે. ઘી તો બધું ઘેબરમાં જ વપરાઈ ગયું.' પત્નીનો આ ઉત્તર સાંભળીને એને ઊંડો આઘાત લાગ્યો. એ નાસ્તિક ન હતો, આસ્તિકતા એના સંસ્કારમાં વણાયેલી હતી. એટલે એને વિચાર આવ્યો કે, અનીતિ કરવા છતાં નસીબમાં ન હતું તો ઘેબર તો ન મળ્યું, પણ એને માટે કરેલી અનીતિનું પાપ તો મારા લમણે લખાઈ ગયું. ઘેબર તો ન મળ્યાં, પણ હવે આ પાપનું ફળ મારો કેડો ક્યાં છોડશે ! એમાંથી એ ચિંતનમાં ચડ્યો. ઊંડે ઉતર્યો કર્મના વિપાક અને સંસારની વિષમતા બધું એને આંખ સામે તરવરવા માંડ્યું. એમાંથી એનો માંહ્યલો જાગ્યો. ચિંતનધારા આગળ વધી, વૈરાગ્ય પ્રબળ બન્યો અને ઘરબાર છોડી ત્યાગના માર્ગે, આત્મકલ્યાણના પંથે એ સંચરી ગયો. એ જ ઘટનાને વર્ણવતાં પૂજાકારશ્રીએ જણાવ્યું કે - નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળીઓ, જ્ઞાનદશા તબ જાગી.” એ તો જાગ્યો, એની જ્ઞાનદશા જાગી, પણ આપણું શું ! એ તો એક જ ઠોકર વાગતાં જાગી ગયો, આપણી જાતને આપણે પૂછવું જરૂરી છે કે, જીવનમાં કેટલી ઠોકર વાગી છતાં આજ સુધી ન જાગ્યા તો હવે ક્યારે જાગશું ? જો ન જાગ્યા તો આપણે પણ એ જ ગાવાનો વારો આવશે કે, “ભૂલ્યો બાજી.” કેટલાક જીવો એક ઠોકરમાં જ જાગી જાય છે, તો કેટલાકને ઠોકરો ખાઈને ખતમ થઈ જાય તો ય જાગતા નથી. આવા નહીં જાગનારાઓને તો રોવાનો જ વારો આવવાનો છે. આપણી એવી દશા ન થાય તે માટે આપણે સાવદ્ય થવાનું છે. આત્માને ફરી ફરીને પૂછો કે, “પરિગ્રહ બંધન છે' - એવું લાગે છે ? પરિગ્રહની આ મમતા મને ક્યાં લઈને જશે ? કૂતરાં, બિલાડાં વગેરે પશુઓને જુવો છો ? ઘરમાં પેદા થયેલ ઉંદર, ગરોળીને પણ જોયાં છે? પરિગ્રહને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy