________________
૧૯૩
-
૮ઃ આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21
–
473
જ્ઞાનદશા જાગે તો કામ થાય. સભા : આ “જમી જમાઈ પાછો વળીઓ જ્ઞાનદશા તબ જાગી' - એ શું કહ્યું ?
સમજાયું નહીં. આ કડીમાં એક વેપારીની જીવંત ઘટના વર્ણવવામાં આવી છે. સભા : એ ઘટના શું છે ? એ ઘટના આમ તો સાવ સામાન્ય છે, પણ એનો બોધ અતિ અસામાન્ય છે.
એક નાનો વેપારી હતો, સ્વભાવે સંતોષી હતો, વ્યવહારે નીતિમાન હતો. વેપારમાં રોજ પેટ પૂરતું એને મળતું, એમાં આનંદથી એ જીવતો. એમાં એકવાર એને ઘેબર ખાવાનું મન થયું. રોજની આવકમાંથી ચોપડ્યો રોટલો અને દાળથી અધિક કાંઈ મળતું નહિ. એટલે સીધી રીતના વ્યાપારથી ઘેબર ખાવા મળે તેવું તેને ન લાગ્યું. આમ છતાં ઘેબરની લાલચ એ રોકી ન શક્યો.
એમાં એક ભોળી બાઈ મળી. એની સાથે એણે ચાલબાજી કરીને અધિક કમાણી કરી અને એનાથી એ તે ખુશ થયો. ઘેબર બનાવવા જરૂરી સામાન મેળવી એણે ઘરે મોકલી અને બે ઘેબર બનાવવા જણાવ્યું. એણે વિચાર્યું કે, આજે અમે બન્ને પતિ-પત્ની સરસ મજાનાં ઘેબર ખાઈ શકશું.
સમય થતાં એ ઘરે જવા નીકળ્યો. મનમાં હતું કે, જ્યારે ઘરે પહોંચે અને ઘેબર ભેગો થાઉં.
જ્યારે ઘરે પહોંચ્યો, ત્યારે ઘેબરની સુગંધથી નાકને સાર્થક કરવા એણે ઊંડા શ્વાસ લીધા, પણ એવી કોઈ સુગંધ ન આવી. એણે માન્યું કે, ઘેબર ડબ્બામાં બંધ કરીને મૂક્યાં હશે, એટલે ગંધ નહીં આવતી હોય.
તે જમવા બેઠો, ભાણું મંડાણું, પણ એમાં ઘેબર ન પીરસાયું. રોજ તો એના ભાણામાં ચોપડેલો રોટલો પીરસાતો; જ્યારે આજે ઘેબર તો ન પીરસાયું પણ રોટલોય લુખ્ખો જ પીરસાયો. મનમાં એ અકળાયો અને પત્નીને પૂછ્યું કે, ઘેબર બનાવવાનો સામાન નથી મળ્યો કે શું ?' પત્નીએ કહ્યું કે, “સામાન તો બધો બરાબર મળી ગયો હતો.
તો ઘેબર કેમ ન બનાવ્યાં ?”
બનાવ્યાં હતાં અને તે પણ એક નહીં, બરાબર બે બનાવ્યાં હતાં, પત્નીએ જવાબ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org