SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આતમ જાગો ! શાલિભદ્ર જેવાએ પણ આ બંધનો તોડ્યાં છે. જંબુસ્વામી જેવાએ પણ આ બંધનો તોડ્યાં છે. બંધનો તોડ્યાં છે. નંદિષેણ જેવાએ પણ આ સુબાહુકુમાર જેવાએ પણ આ બંધનો તોડ્યાં છે. વજ્રસ્વામી જેવાએ પણ આ બંધનો તોડ્યાં છે. ૧૯૨ ૨ . વયોવૃદ્ધ એવા પુણ્યાત્માઓએ પણ આ બંધનો તોડ્યાં છે અને યુવાનોએ પણ આ બંધનો તોડ્યાં છે. શ્રીમંતોએ પણ તોડ્યાં છે અને ગરીબોએ પણ તોડ્યાં છે. ભણેલાએ પણ તોડ્યાં છે અને અભણોએ પણ તોડ્યાં છે. કિશોરોએ પણ તોડ્યાં છે અને બાળકોએ પણ તોડ્યાં છે. દરેક કક્ષાના જીવોએ આ પરિગ્રહનાં બંધનો તોડ્યાં છે. જેને તોડવાં હોય તેના માટે બધું જ શક્ય છે. જ્યાં સુધી જ્ઞાનદશા ન જાગે ત્યાં સુધી આત્મવિકાસ શક્ય નથી. ‘જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુઃખનો છેહ' એમ મહોપાધ્યાયજીએ જણાવ્યું છે. Jain Education International માટે જ શ્રી સુધર્માસ્વામીજી જંબુસ્વામીને વ્રુત્ત્તિા પદથી જાગવાનો સંદેશ આપ્યો છે. જે જાગતા નથી, તેમને છેવટે તો રોવાનો જ વારો આવવાનો છે. માટે જ પૂજાકાર મહર્ષિએ મોહાધીન આત્માઓની અવદશાને વર્ણવતાં લખ્યું કે – ‘બાજી ભૂલ્યો બાજી, ભોગ વિઘન ઘન ગાજી ભૂલ્યો બાજી, કર્મ કુટિલ વશ કાજી ભૂલ્યો બાજી, આગમ જ્યોત ન તાજી ભૂલ્યો બાજી, સાહિબ સુણ થઈ રાજી ભૂલ્યો બાજી. કાલ અનાદિ ચેતન રઝળ્યો, એકે વાત ન સાઝી. મયણા ભયણી ન રહે છાની, મળીયા માત-પિતાજી. નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી, જમી જમાઈ પાછો વળીયો, જ્ઞાનદશા તબ જાગી.’ 472 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy