________________
૧૯૧ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ – 21 – 471 મહાવીરદેવની કંપનીનું છે. તેનું પેકિંગ અને મોડલ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાનું છે. અમે એમના નોકરીયાત છીએ. અમે ભૂખ્યાં જરૂર છીએ પણ એટલો વિશ્વાસ રાખજો કે આ માલ એમનો છે. એમના માલમાં ક્યાંય ભેળસેળ કરી નથી અને એ ગદ્દારી જિંદગીમાં ક્યારેય પણ થશે નહિ. માટે અમારું ખાલી પેટ જોઈને, એમનું તો ખાલી છે તો પછી એથી અમારું કઈ રીતે ભરાશે ? - તેવો વિચાર નહિ કરતા.
ટૂંકમાં એટલું જ કહેવું છે કે, “પરિગ્રહ બંધન છે, પરિગ્રહ પાપ છે. આ વચનો જે હું બોલું છું, તે તે મૂળભૂત વચનો તો ભગવાન શ્રી મહાવીરદેવનાં છે. ગણધર શ્રી સુધર્માસ્વામીનાં છે. હું તો એક માત્ર વાહક છું. માટે મારી-અમારી ખામી જોઈ પ્રભુના આ વચનોમાં ક્યારેય શંકા ન કરશો. ભલે પરિગ્રહ તમારા જીવનનું એક અભેદ્ય અંગ બની ગયું હોય ! ભલે તમે પરિગ્રહમય બની ગયા હોય, ભલે એના વિના એક ક્ષણ પણ તમને ન ચાલતું હોય, પણ એ બંધન છે, એ પાપ છે, એ દુઃખનું કારણ છે, એવું મારા, તમારા, આપણા સૌના હિત માટે ભગવાને કહ્યું છે. એના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી આપણી જાતને પરિગ્રહથી મુક્ત કરવાનો પ્રયત્ન આપણે સૌએ કરવાનો છે.
જો આ પરિગ્રહથી જાતને મુક્ત ન કરી શક્યા તો આ પરિગ્રહ આપણને સીધો જ નરકે લઈ જશે. એમાં જો અનુબંધ તીવ્ર પડ્યો તો વચ્ચે વચ્ચે તિર્યંચ ગતિમાં લઈ જઈને વારંવાર નરકમાં લઈ જશે અને છેક સાતમી નરકમાં પણ લઈ જશે.
તો “બાજી ભૂલ્યો બોલવાનો વારો તમારો ય આવી જાય ? સભા અનાદિનું બંધન છે, શું તુટે ?
અનાદિનું બંધન છે એમ માની નિરાશ ન બનો ! જો સાચા દિલથી એને તોડવાનો ભાવ હશે અને સાચી દિશાનો સઘન પુરુષાર્થ થશે તો જરૂર તૂટશે. તે બંધનો તૂટવાની શક્યતા ને સંયોગો અહીં જ ઉપલબ્ધ છે. અહીં આ ભવમાં જો પ્રયત્ન ન કર્યો તો ભવિષ્યમાં ક્યારે અને ક્યાં કરશો ? જાગૃત થાઓ ! સંકલ્પબદ્ધ થાઓ ! અને આગળ વધો ! અત્યાર સુધીમાં અનંત આત્માઓએ આ બંધનો તોડ્યાં છે. અગણિત આત્માઓ તોડી રહ્યાં છે અને ભવિષ્યમાં અનંત આત્માઓ તોડવાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org