________________
૧૮૯ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 – 469
પૈસો કમાવવા જવું એટલે બંધન ઉભું કરવા જવું. પૈસો હાથમાં લેવો એટલે બંધન હાથમાં બાંધવું. પૈસો વધારવો એટલે બંધન વધારવું.
માત્ર પૈસો જ બંધન છે એવું નથી. પત્ની વગેરે પણ બંધન છે. પત્ની પણ પરિગ્રહ, દીકરો પણ પરિગ્રહ, વેવાઈ – વેવાણ પણ પરિગ્રહ, જમીન-મકાનબંગલા પણ પરિગ્રહ, હીરા-માણેક-મોતી, સોનું-રૂપું એ બધું જ પરિગ્રહ, ફર્નિચર-રાચરચીલું પણ પરિગ્રહ, નોકર-ચાકર પણ પરિગ્રહ, પશુ-પંખી પાળ્યાં તે પણ પરિગ્રહ, કપડાં-દાગીના એ પણ પરિગ્રહ, વધારે ઉંડો ઉતરીશ તો કહીશ કે શરીર એ પણ પરિગ્રહ. અંદરમાં પ્રવર્તતી રાગાદિ ભાવોની પરિણતિ તે પણ પરિગ્રહ અને તેને કારણે ઉભાં થતાં કર્મનાં બંધનો તે પણ પરિગ્રહ. આ બધો જ પરિગ્રહ દુ:ખનું કારણ છે. માટે જ દરેક પ્રકારના પરિગ્રહથી છૂટવાનું છે.
પ્રશ્નવ્યાકરણ' આગમમાં પરિગ્રહના પર્યાયો આપ્યા છે. તેને વાંચતાંસાંભળતાં પરિગ્રહનો વ્યાપ કેટલો મોટો છે તે સહેજે જણાઈ આવે છે.
તમે પણ સમજી શકો માટે એ બધાં નામો તમને સંભળાવું. ૧ - પરિગ્રહ, ૨ - સંચય, ૩ -- ચય, ૪ - ઉપચય, ૫ – નિધાન, ૬ – સંભાર, ૭ – સંકરણ, ૮ – આદરણ, ૯ - પિંડ, ૧૦ - દ્રવ્યસાર, ૧૧ - મહેચ્છા, ૧૨ - પ્રતિબંધ, ૧૩ - લોભ, ૧૪ - મહદ્ધિ, ૧૫ – ઉપકરણ, ૧૬ - સંરક્ષણ, ૧૭ - ભાર, ૧૮ - સંપાદોત્પાદક, ૧૯ - કલિકરંડ, ૨૦ - પ્રવિસ્તાર, ૨૧ - અનર્થકારણ, ૨૨ - સંસ્તવ (પરિચય), ૨૩ - અગુપ્તિ, ૨૪ - આયાસ (ખેદ), ૨૫ - અવિયોગ, ૨૬ - અમુક્તિ, ૨૭ - તૃષ્ણા, ૨૮ - અનર્થરૂપ, ૨૯ - આસક્તિ અને ૩૦ - અસંતોષ.
જે જોયું તે મેળવવાનું મન, લેવાનું મન, સંઘરવાનું મન, ભોગવવાનું મન થવું તે બધી પરિગ્રહવૃત્તિ છે. આના ઉપરથી તમને થવું જોઈએ કે આ પરિગ્રહ કેવો અને કેટલો ભયંકર છે. સભા કપડાં જો પરિગ્રહ છે તો સાધુનેય પરિગ્રહ છે ને ?
ના, સાચા સાધુને કપડાંનો પરિગ્રહ ક્યારેય ન હોય. કારણ કે, સંયમની સાધના માટે અનિવાર્યપણે આવશ્યક હોય એથી અધિક વસ્ત્ર-પાત્ર સાચો સાધુ ક્યારેય ન રાખે અને સંયમ સાધના માટે આવશ્યક એવાં પણ વસ્ત્ર ઉપર એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org