________________
૧૮૮
આતમ જાગો !
હોતું. જો આટલું સમજાશે તો ‘પરિગ્રહ પણ ભલે પુણ્યથી મળે, પણ તે મેળવવા જેવો નથી. કારણ કે, તે સ્વયં બંધનરૂપ છે અને બંધનનું કારણ છે’ - એ વાત તમને સમજાશે. પરિગ્રહ મળે પુણ્યથી પણ તે મેળવવા જેવો નથી. પરમતા૨ક ગુરુદેવે આ વિષયમાં બરાબર વિવેક કરી આપ્યો છે.
પૈસો મળે પુણ્યના ઉદયથી, પણ પૈસો મેળવવાની ઈચ્છા થાય પાપના ઉદયથી.
-
=
468
પૈસો રહે પુણ્યના ઉદયથી, પણ પૈસો રાખવાનું મન થાય પાપના ઉદયથી. પૈસો ભોગવાય પુણ્યના ઉદયથી, પણ પૈસો ભોગવવાનું મન થાય પાપના ઉદયથી.
ટૂંકમાં મળે, ટકે, વધે, ભોગવાય, પુણ્યના ઉદયથી, પણ મેળવવાનું, રાખવાનું, વધારવાનું, ભોગવવાનું મન મોહનીય કર્મ નામના પાપના ઉદયથી થાય.
તમને પૈસો મળે, રહે, સચવાય, ભોગવાય તે જુદી વાત છે, પણ તે પૌસો તમને મેળવવાનું, રાખવાનું, સાચવવાનું અને ભોગવવાનું જે મન થાય છે, તેમાં સુખ માણવાનું જે મન થાય છે તેનો વાંધો છે. કારણ કે તે અવિરતિના ઉદયનું પરિણામ છે. અને આગળ વધીને તે મેળવવા, સાચવવા, વધારવા, ભોગવવા જેવો છે, એવું જે તમને લાગે છે - એનો તો બહુ જ મોટો વાંધો છે. કારણ કે તે મિથ્યાત્વના ઉદયનું પરિણામ છે.
છપ્પર ફાડીને ઉપરથી ગળામાં હાર પડે એનો મને વાંધો નથી પણ તમને તે ગમી જાય તેનો વાંધો છે.
પેંડો ખાધો ને ગળ્યો લાગ્યો તેનો મને વાંધો નથી, પણ મીઠો લાગે તેનો વાંધો છે. પેંડો ખાય એટલે ગળ્યો ન લાગે તેવું નથી. કહે પણ ખરો કે ગળ્યો છે પણ મીઠો ન લાગવો જોઈએ. જેમ મીઠું, ખારૂં છતાં તેનામાં પણ મીઠાશ છે, કારેલું કડવું, છતાં તેનામાં પણ મીઠાશ છે. તે જે ગમી જાય છે, તે ન ગમવી જોઈએ.
Jain Education International
પરમાત્મા, તેમના પ્રતિનિધિ એવા શ્રી સુધર્માસ્વામીજી મહારાજા અને શ્રી શ્રમણસંઘ કહી રહ્યો છે કે પરિગ્રહ સ્વયં બંધન છે અને તે કર્મ બંધનનું કારણ છે. માટે તે સ્વયં દુઃખરૂપ છે અને દુઃખનું કારણ છે. આખો સંસાર તેના આધારે ચાલે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org