________________
૧૮૭
––
૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21
–
467
“આ બંધન છે' એમ સમજાયા વિના સાચા અર્થમાં છોડાય નહિ અને સાચા અર્થમાં છોડ્યા વિના સર્વવિરતિ આવે નહિ.
નવે નવ પ્રકારનો પરિગ્રહ છોડવો હજુ સહેલો છે પણ તેને બંધન માનવું એ બહુ કપરું છે. અનાદિકાળથી પરિગ્રહ સંજ્ઞા વળગીને બેઠી છે. તેને પોસીપંપાળીને તગડી કરી છે. તેમાં જ જીવનની સફળતા માની છે. આજનું જેટલું પણ રાચરચીલું, નોકર-ચાકરવર્ગ, સ્થાવર-જંગમ મિલ્કત જેટલાં વધારે તેટલી જિંદગીની સફળતા વધારે એવી માન્યતા મિથ્યાત્વના ઘરની છે.
સભા મિથ્યાત્વ છે કે નહિ તેનો પુરાવો શું ?
પરિગ્રહ વધે તેમ અંદરથી આનંદ આવે, કાંઈક કર્યું એમ લાગે અને એમાં કશું જ ખોટું ન લાગે તો મિથ્યાત્વ જીવતું જાગતું છે. જેમ જેમ પરિગ્રહ વધતો જાય તેમ તેમ અંદરથી ખુશી-ખુશી થાય, જન્મારો લેખે લાગ્યો - એમ થાય, જીવનમાં, જીવી જાણ્યું, મેળવી જાણ્યું - એમ થાય અને એમાં કશું ખોટું ન લાગે તો મિથ્યાત્વ ઘર કરીને બેઠું છે – એમ સમજજો. એનાથી બંધન વધારે ચીકણું થાય છે.
મને ખબર છે, આ વિષય કદાચ સૌથી અઘરો છે. પરિગ્રહ બંધન છે સમજાવવું અઘરું છે. શબ્દથી સમજાવવું સહેલું છે પણ અંદર ઉતારવું, હૃદય સુધી પહોંચાડવું કપરામાં કપરું છે. શ્રદ્ધાના સ્તરે પહોંચાડવું અઘરામાં અઘરું છે. પરિગ્રહ વધે એટલે બાહ્ય દષ્ટિથી ભલે મોકળાશ અનુભવાય; પણ અંદરથી તો આત્મા બંધાયા જ કરે છે, લપેટાયા જ કરે છે, ગુંગળાયા જ કરે છે. મળે પુણ્યથી જ પણ મળેલું બધું જ ભોગવાય નહિ ? સભા પૈસા મળે તો પુણ્યથી જ ને ?
જેને આપઘાત કરવો છે તેને જે ઝેર મળે તે પણ પુણ્યથી જ મળે પુણ્ય ન હોય તો મરવાની ઈચ્છાવાળાને ઝેર પણ ન મળે.
જીવવા માટે દવા જોઈએ તો શેનાથી મળે ? પૈસાથી જ. અને મરવા માટે ઝેરની પડીકી જોઈએ તો તે પણ શેનાથી મળે ? પૈસાથી જ. તેમ જીવવાનાં ને મરવાનાં સાધનો પણ પુણ્યથી જ મળે. પરંતુ પૈસાથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી હોતું, તેમ પુણ્યથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org