________________
૧૮૫
–
૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21
–
465
ચારેબાજુથી આત્માને બાંધે તે પરિગ્રહ. પહેલા આત્મા સજીવ કે અજીવ પદાર્થોને ગ્રહણ કરે છે અને એ પદાર્થો પછી એને બરાબર વળગી જાય છે; એ જ પરિગ્રહ. એક જીવ એવો નહિ હોય જે આ પરિગ્રહથી બંધાયો ન હોય. આ પરિગ્રહ તો એટલો ભયંકર છે કે એને હાથમાં લો તો પણ ઝેર ચડે, ખીસ્સામાં મુકો તો પણ ઝેર ચડે, તીજોરીમાં મૂકો તો પણ ઝેર ચડે, એને જુવો તો પણ ઝેર ચડે, અરે ! એને યાદ કરો તો પણ એનું ઝેર ચડે. આ પરિગ્રહ તો એવો છે કે પળે-પળે એનું ઝેર ચડે છે અને પળે પળે એનાથી આત્માની ચેતના મુરઝાયા કરે.
આપણું જ્ઞાન મર્યાદિત છે. આપણી દૃષ્ટિ પણ મર્યાદિત છે. જેને કારણે નથી કર્મ દેખાતાં, નથી કાશ્મણ વર્ગણાઓ દેખાતી, નથી આત્મા દેખાતો કે નથી તેને લાગેલી કાર્મણ વર્ગણાઓ દેખાતી.
આત્માના એક-એક પ્રદેશમાં એક-મેક થઈને કર્મ પોતાની સત્તા જમાવે છે, સક્રિય થાય છે અને દુઃખના સ્વરૂપમાં પ્રગટ થઈને આત્માને દુઃખી કરે છે, રિબાવે છે. આમ છતાં તે સમજાતું નથી અને દેખાતું પણ નથી. તેના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે, જે પરિણામો સર્જાય છે તે અનુભવાય છે. પણ તેને માનવી કેવી રીતે ? તમારા મોબાઈલ જેવી આ વાત છે. એનાં દોરડાં નથી હોતાં છતાં એનું ક્યાંક જોડાણ શરૂ થઈ જાય છે. સ્વીચ દબાવી અને એના સ્પંદનો ક્યાંથી ક્યાંય પહોંચે છે, કાંઈક સળવળે છે કાં તો કાંઈક ઝબકારો થાય છે. કનેકશન જોડાય - કાને ધરો ને અવાજ આવે છે. એ અવાજ પરિચિત લાગે છે, જેને કારણે ચહેરા ઉપર ખુશી-નાખુશી અગર તનાવ કે હળવાશ અનુભવાય છે. સામે તમે પણ કાંઈક બોલો છો, એ સામે છેડે જાય છે. ત્યાં પકડાય છે, આ બધું જ થાય છે, આમ છતાં એ દેખાતું નથી છતાં આ બધું બને છે, એ એક નરી વાસ્તવિકતા છે. અઠવાડિયા પછી બન્ને મળો તો કહો ને કે “તમે કહ્યું હતું અને તે કામ મેં કર્યું છે. ત્યારે તે કહે કે “મેં ક્યાં કહ્યું હતું ?' એટલે દેખીતો સંબંધ દેખાતો ન હોવા છતાં બેય વચ્ચે કાંઈક સંબંધ છે જ, એવું તો નક્કી જ છે ને ? એવું અહીં છે.
ટી.વી ની સ્વીચ દબાવો કે તરત જ આખી દુનિયા તેમાં અવતરેલી દેખાય છે. દેખાતું નથી કે ક્યાંથી આવ્યું છતાં માનો છો કે “અમુક જ જગ્યાએથી પ્રસારિત કરાયું છે અને તે અહીં સુધી આવ્યું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org