________________
૧૮૦
૨ – આતમ જાગો ! –
460
માટે જ પરમતારક ગુરુદેવશ્રી પાસે જ્યારે અબજોપતિ શ્રીમંતો પણ આવતા ત્યારે તેઓશ્રી તેમને પણ કહેતા કે “હવે ધંધો ક્યારે બંધ કરવો છે ? નિવૃત્તિ ક્યારે લેવી છે ?
પરમતારક ગુરુદેવશ્રીજીને બંધન ક્યારેય ગમ્યાં નથી, બંધન માફક આવ્યાં નથી, બંધન સુવાળાં લાગ્યાં નથી. એ બંધનને બંધન તરીકે અનુભવતા હતા. માટે જ એ બંધનમાં ફસાયેલાની એમને દયા આવતી. તેથી જ તેઓશ્રીએ પોતાની પાસે આવનાર સૌ કોઈને જિંદગીભર (પૈસો) બંધન છોડવાનો માર્ગ બતાવ્યો છે. તેમના અનુયાયી તરીકે ગણાતા આપણને આ બંધન કેવા લાગે છે?
ભગવાન શ્રી મહાવીરદેવે પરિગ્રહને બંધન કહ્યું છે, હિંસાને બંધન કહ્યું છે, મમતાને બંધન કહ્યું છે, મિથ્યા માન્યતાઓને બંધન કહ્યું છે, આ બધી જ વાતો આપણે કરવી છે તે ક્રમશઃ જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org