SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ૨ – આતમ જાગો ! – 460 માટે જ પરમતારક ગુરુદેવશ્રી પાસે જ્યારે અબજોપતિ શ્રીમંતો પણ આવતા ત્યારે તેઓશ્રી તેમને પણ કહેતા કે “હવે ધંધો ક્યારે બંધ કરવો છે ? નિવૃત્તિ ક્યારે લેવી છે ? પરમતારક ગુરુદેવશ્રીજીને બંધન ક્યારેય ગમ્યાં નથી, બંધન માફક આવ્યાં નથી, બંધન સુવાળાં લાગ્યાં નથી. એ બંધનને બંધન તરીકે અનુભવતા હતા. માટે જ એ બંધનમાં ફસાયેલાની એમને દયા આવતી. તેથી જ તેઓશ્રીએ પોતાની પાસે આવનાર સૌ કોઈને જિંદગીભર (પૈસો) બંધન છોડવાનો માર્ગ બતાવ્યો છે. તેમના અનુયાયી તરીકે ગણાતા આપણને આ બંધન કેવા લાગે છે? ભગવાન શ્રી મહાવીરદેવે પરિગ્રહને બંધન કહ્યું છે, હિંસાને બંધન કહ્યું છે, મમતાને બંધન કહ્યું છે, મિથ્યા માન્યતાઓને બંધન કહ્યું છે, આ બધી જ વાતો આપણે કરવી છે તે ક્રમશઃ જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy