________________
૮ - આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ 21
- વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૩, મંગળવાર, તા. ૨૦-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા
♦ બંધનની સૂક્ષ્મતા :
• સમજવામાં અઘરું બંધન : પરિગ્રહ :
♦ મળે પુણ્યથી જ પણ મળેલું બધું જ ભોગવાય નહિં :
તો ‘બાજી ભૂલ્યો’ બોલવાનો વારો તમારો ય આવી જાય :
♦ ધન મેળવવા દાન નથી ધન છોડવા દાન છે ઃ
• સારા અને સાચા બધાને ગમે જ, એવો નિયમ નથી :
♦ ર્પોરેગ્રહની મમતા તોડવાના ઉપાયો :
વિષય : પરિગ્રહની આસપાસ.
બંધનનું ભાન થયા બાદ પણ સામાન્યત: ‘મિથ્યાત્વ, અવિરતિ એ બંધન છે' - એમ જીવને સમજાવવું સહેલું છે; પરંતુ ‘પરિગ્રહ એ બંધન છે' એમ સમજાવવું અઘરામાં અઘરું છે. કારણ કે અનાદિકાળથી જીવને ઘેરી વળેલો બંધનરૂપ એવો પણ પરિગ્રહ રુડો અને રૂપાળો જ લાગ્યા કરે છે. કોઈ કાર્ય થાય તો એની પાછળ ચોક્કસ કોઈ પરિબળ હોવું જ જોઈએ - આ એક સર્વસંમત વાત છે. તેમ આત્મ-બંધનનું મુખ્ય પરિબળ પરિગ્રહ છે એમ પ્રભુવીર કહે છે. આ પ્રવચનમાં ‘પરિગ્રહ'ની આસપાસ જાણે બાયનૉડ્યૂલર લઈને બેઠેલા પ્રવચનકારશ્રીજીએ પરિગ્રહરૂપી દશમો ગ્રહ કઈ રીતે જીવને ચારે બાજુથી ભીંસમાં લઈ ગૂંગળાવે છે – એનું ખૂબ જ દિલચસ્પ વર્ણન કરી રહ્યા છે. આ બંધનથી છૂટવા માટે જ્ઞાનદશાને જગાવવાનો નૂસખો બતાવી દાનધર્મ રૂપી રસાયણને સેવવાની સોનેરી સલાહ આ પ્રવચન પીરસે છે.
પ્રવચનનું પ્રતિબિંબ
* પરિગ્રહ વધે એટલે બાહ્ય દૃષ્ટિથી ભલે મોકળાશ અનુભવાય; પણ અંદરથી તો આત્મા બંધાયા જ કરે છે, લપેટાયા જ કરે છે, ગુંગળાયા જ કરે છે.
* જીવવાનાં ને મરવાનાં સાધનો પણ પુણ્યથી જ મળે. પરંતુ પૈસાથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી હોતું, તેમ પુણ્યથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી.
* સાચો ધર્મોપદેશક તમારું બંધન વધે એવું ક્યારેય ન ઈચ્છે, એ તો તમારું બંધન છૂટે એવું જ ઈચ્છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org