SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ - આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ 21 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૩, મંગળવાર, તા. ૨૦-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા ♦ બંધનની સૂક્ષ્મતા : • સમજવામાં અઘરું બંધન : પરિગ્રહ : ♦ મળે પુણ્યથી જ પણ મળેલું બધું જ ભોગવાય નહિં : તો ‘બાજી ભૂલ્યો’ બોલવાનો વારો તમારો ય આવી જાય : ♦ ધન મેળવવા દાન નથી ધન છોડવા દાન છે ઃ • સારા અને સાચા બધાને ગમે જ, એવો નિયમ નથી : ♦ ર્પોરેગ્રહની મમતા તોડવાના ઉપાયો : વિષય : પરિગ્રહની આસપાસ. બંધનનું ભાન થયા બાદ પણ સામાન્યત: ‘મિથ્યાત્વ, અવિરતિ એ બંધન છે' - એમ જીવને સમજાવવું સહેલું છે; પરંતુ ‘પરિગ્રહ એ બંધન છે' એમ સમજાવવું અઘરામાં અઘરું છે. કારણ કે અનાદિકાળથી જીવને ઘેરી વળેલો બંધનરૂપ એવો પણ પરિગ્રહ રુડો અને રૂપાળો જ લાગ્યા કરે છે. કોઈ કાર્ય થાય તો એની પાછળ ચોક્કસ કોઈ પરિબળ હોવું જ જોઈએ - આ એક સર્વસંમત વાત છે. તેમ આત્મ-બંધનનું મુખ્ય પરિબળ પરિગ્રહ છે એમ પ્રભુવીર કહે છે. આ પ્રવચનમાં ‘પરિગ્રહ'ની આસપાસ જાણે બાયનૉડ્યૂલર લઈને બેઠેલા પ્રવચનકારશ્રીજીએ પરિગ્રહરૂપી દશમો ગ્રહ કઈ રીતે જીવને ચારે બાજુથી ભીંસમાં લઈ ગૂંગળાવે છે – એનું ખૂબ જ દિલચસ્પ વર્ણન કરી રહ્યા છે. આ બંધનથી છૂટવા માટે જ્ઞાનદશાને જગાવવાનો નૂસખો બતાવી દાનધર્મ રૂપી રસાયણને સેવવાની સોનેરી સલાહ આ પ્રવચન પીરસે છે. પ્રવચનનું પ્રતિબિંબ * પરિગ્રહ વધે એટલે બાહ્ય દૃષ્ટિથી ભલે મોકળાશ અનુભવાય; પણ અંદરથી તો આત્મા બંધાયા જ કરે છે, લપેટાયા જ કરે છે, ગુંગળાયા જ કરે છે. * જીવવાનાં ને મરવાનાં સાધનો પણ પુણ્યથી જ મળે. પરંતુ પૈસાથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી હોતું, તેમ પુણ્યથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી. * સાચો ધર્મોપદેશક તમારું બંધન વધે એવું ક્યારેય ન ઈચ્છે, એ તો તમારું બંધન છૂટે એવું જ ઈચ્છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy