________________
૧૭૯
–
૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20
-
459
એક અજૈન પુણ્યાત્મા સદ્ગુરુના ઉપદેશથી આ રીતે પરિવર્તન પામતો હોય, તેને લઈને આટલો પુરુષાર્થ કરતો હોય, આટલાં પણ બંધનોને તોડી શકતો હોય તો આપણે આવા સદ્ગુરુ ભગવંતોનો ઉપદેશ સાંભળીને શું કરવું જોઈએ ?
તમે વિચારો કે, આજ સુધીમાં સદ્ગુરુના મુખે તમે ધર્મોપદેશ કેટલીવાર સાંભળ્યો ? કેટલું પરિવર્તન આવ્યું? ક્યાં સુધી બંધનને વળગી રહેવું છે ? ખરચવા કરતાં ન કમાવવું વધુ સારું:
મારે તમારી પાસે કાંઈક વપરાવવું છે, ખરચાવવું છે – એવા ભાવથી આ બધું કહેતો નથી. તમે વાપરવાના, ખરચવાના બદલે કમાવાનું બંધ કરો, એ મારા માટે વધારે મહત્ત્વનું છે. કમાવાનું બંધ કરીને ભેગા થયેલા પરિગ્રહનો ત્યાગ કરો તે અગત્યનું છે. જેઓ આ ન જ કરી શકે, તે પરિગ્રહના બોજ નીચે દબાઈ ન જાય, તે માટે પ્રભુએ તેમને દાનધર્મ બતાવ્યો છે.
પરિગ્રહના બંધનથી છૂટવા દાનધર્મ છે. કામભોગના બંધનથી છૂટવા શીલધર્મ છે. ખાવા-પીવાના બંધનથી છૂટવા તપધર્મ છે અને મમતા વગેરેનાં બંધનથી છૂટવા ભાવધર્મ છે. આ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ.
પરિગ્રહ વધારવા દાનક્રિયા કરવી તે દાનધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે.
કામભોગ મેળવવા શીલ પાળવું તે શીલધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે.
ખાવા-પીવાની મોજમજા મેળવવા તપ કરવો તે તપધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે.
એ જ રીતે મમતાને પંપાળવાના ભાવો કરવા તે ભાવધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે.
એક વ્યક્તિ ધંધો કરે છે. દર વર્ષે એક એક કરોડ રૂપિયા ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ ધંધો નથી કરતો. ધંધો-ઘાપો બંધ કરીને આરાધના કરે છે. દાનધર્મ કરવાની વિશેષ શક્તિ ન હોવાને કારણે નોંધપાત્ર એવું દાન કરતો નથી તો તમારી દૃષ્ટિએ બેમાંથી સારો કોણ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org