SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 - 459 એક અજૈન પુણ્યાત્મા સદ્ગુરુના ઉપદેશથી આ રીતે પરિવર્તન પામતો હોય, તેને લઈને આટલો પુરુષાર્થ કરતો હોય, આટલાં પણ બંધનોને તોડી શકતો હોય તો આપણે આવા સદ્ગુરુ ભગવંતોનો ઉપદેશ સાંભળીને શું કરવું જોઈએ ? તમે વિચારો કે, આજ સુધીમાં સદ્ગુરુના મુખે તમે ધર્મોપદેશ કેટલીવાર સાંભળ્યો ? કેટલું પરિવર્તન આવ્યું? ક્યાં સુધી બંધનને વળગી રહેવું છે ? ખરચવા કરતાં ન કમાવવું વધુ સારું: મારે તમારી પાસે કાંઈક વપરાવવું છે, ખરચાવવું છે – એવા ભાવથી આ બધું કહેતો નથી. તમે વાપરવાના, ખરચવાના બદલે કમાવાનું બંધ કરો, એ મારા માટે વધારે મહત્ત્વનું છે. કમાવાનું બંધ કરીને ભેગા થયેલા પરિગ્રહનો ત્યાગ કરો તે અગત્યનું છે. જેઓ આ ન જ કરી શકે, તે પરિગ્રહના બોજ નીચે દબાઈ ન જાય, તે માટે પ્રભુએ તેમને દાનધર્મ બતાવ્યો છે. પરિગ્રહના બંધનથી છૂટવા દાનધર્મ છે. કામભોગના બંધનથી છૂટવા શીલધર્મ છે. ખાવા-પીવાના બંધનથી છૂટવા તપધર્મ છે અને મમતા વગેરેનાં બંધનથી છૂટવા ભાવધર્મ છે. આ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ. પરિગ્રહ વધારવા દાનક્રિયા કરવી તે દાનધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે. કામભોગ મેળવવા શીલ પાળવું તે શીલધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે. ખાવા-પીવાની મોજમજા મેળવવા તપ કરવો તે તપધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે. એ જ રીતે મમતાને પંપાળવાના ભાવો કરવા તે ભાવધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે. એક વ્યક્તિ ધંધો કરે છે. દર વર્ષે એક એક કરોડ રૂપિયા ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ ધંધો નથી કરતો. ધંધો-ઘાપો બંધ કરીને આરાધના કરે છે. દાનધર્મ કરવાની વિશેષ શક્તિ ન હોવાને કારણે નોંધપાત્ર એવું દાન કરતો નથી તો તમારી દૃષ્ટિએ બેમાંથી સારો કોણ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy