________________
૧૭૮
૨ – આતમ જાગો !
-
:
458
જવાબદારી સ્વીકારી લીધી. ત્યાર પછી ન એમણે મને કાંઈ પૂછુયું ને ન મેં એમને કાંઈ પૂછ્યું.
એ પછી થોડા જ સમયમાં મારા મોટા દીકરાનાં લગ્ન લેવાનાં આવ્યાં ! બધા ભાઈઓ મને પૂછવા આવ્યા કે “પ્રસંગ કેવો કરવો છે ?' મેં કહ્યું “તમારે જેમ કરવો હોય તેમ કરજો, પણ મને એ માટે કાંઈ પૂછશો નહિ.' બધા ભાઈઓ ભેગા થયા અને તેમણે પરસ્પર વિચાર્યું કે, મોટા ભાઈએ આજ સુધી આપણું કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આપણને અહીં સુધી એમણે જ પહોંચાડ્યા છે. હવે જ્યારે મોટા ભાઈના દીકરાનો પ્રસંગ આવ્યો જ છે, તો એને આપણે ઠાઠ-માઠથી ઉજવશું.
મારા ચારેય ભાઈઓએ લગ્નની રજા લેવા મહાજનને ભેગું કર્યું, મહાજને કહ્યું દીકરાના બાપાને તો બોલાવો ! પણ હું ન ગયો. સમજાવવા ઘણા બધા આવ્યા પણ મેં મચક ન આપી. છેક લગ્નનો આગલો દિવસ આવ્યો. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું. મને દહેશત પેસી ગઈ કે આ લોકો મને ગમે તેમ કરીને પણ લઈ જશે. કારણ કે, એ લોકો અંદર-અંદર વાતો કરતા હતા કે ડોસો નહિ આવે તો કાલે આપણે એને ઉપાડીને પણ લઈ જઈશું. તેમનાથી બચવા માટે લગ્નના દિવસે સવારથી જ હું ઘરની મેડી ઉપર ચડી ગયો. એ દિવસ પૂરતો અન્નજળનો ત્યાગ કર્યો અને માળા લઈને ભગવાનનું નામ જપવાનું ચાલુ કર્યું. અંદરથી કમાડ બંધ હતું - જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે મને બોલાવવા વારાફરતી એક આવ્યા - બે આવ્યા – વારંવાર મને બોલાવવા આવવા લાગ્યા. બહારથી રાડારાડ કરવા લાગ્યા. પણ મેં કોઈ જ જવાબ ન આપતાં પ્રભુનું નામસ્મરણ ચાલુ જ રાખ્યું. છેવટે થાકીને એ લોકો બોલ્યા કે, મૂકો એને, “ગાંડો થઈ ગયો લાગે છે' - એ લોકોના આ શબ્દો સાંભળીને મહારાજ ! મને તમારા શબ્દો યાદ આવ્યા કે, “સંસારના રસિયા લોકો જ્યારે તમને કહે કે, તમે ગાંડા થઈ ગયા છો, ત્યારે માનજો કે, તમારામાં ધર્મ આવ્યો એટલે મને થયું કે, આ લોકોની નજરે હું ગાંડો છું એટલે મારામાં ખરેખર કાંઈક ધર્મ આવ્યો. એટલે હું મનોમન બહુ જ ખુશ થયો. અને મારા પ્રભુના ફોટા સામે મન મૂકીને નાચ્યો અને આપનો અને પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો. મહારાજ ! તમે તો મને ઉગારી લીધો. તમારા આ ઉપકારનો બદલો ક્યારે વાળીશ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org