________________
૧૩૭
૨ - આતમ જાગો !
તમને મળી છે. જ્યારે જેનો જન્મ જૈનકુળમાં થયો નહોતો અને જેને સીધે સીધી પ્રભુશાસનની છાયા પણ મળી ન હતી, તેવા પણ પુણ્યાત્માને પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીના પાવન મુખે પ્રભુનો ઉપદેશ જ્યારે સાંભળવા મળ્યો અને એ એને ગમ્યો ત્યારે એમણે દુનિયાના લોકો શું કહે છે કે શું કહેશે તેનો લેશ પણ વિચાર કર્યા વિના આત્મકલ્યાણ માટે શું કર્યું ? એ મારે તમને જણાવવું છે !
એ જાણ્યા પછી તમારે તમારી જાતનો વિચાર કરવાનો છે અને આ બંધનોથી છૂટવા તમારે શું ક૨વું જોઈએ, તે ગંભીરતાથી વિચારવાનું છે.
456
જે પુણ્યાત્માની હું વાત કરવા ઈચ્છું છું તે પુણ્યાત્મા ધર્મે જૈન ન હતા. તેમનો જન્મ જૈનકુળમાં થયો ન હતો, કે તેમને જૈનધર્મના સંસ્કાર પણ મળ્યા ન તેવા પણ પુણ્યાત્માને ન જાણે પ૨મતા૨ક ગુરુદેવશ્રીજીએ કયા શબ્દોમાં કહ્યું, કયા શબ્દોમાં સમજાવ્યું ? પણ તે પુણ્યાત્મા બંધનને બંધનરૂપે ઓળખી ગયા અને તેમણે બંધનને તોડવા માટેનો પ્રયત્ન પણ કર્યો.
હતા.
પરમતારક ગુરુદેવશ્રી એકવાર એ જેઠાભાઈના ગામમાં પધાર્યા, ત્યારે શ્રીસંઘે સામૈયું કર્યું હતું. આગલા દિવસે પડેલા વરસાદના કારણે રસ્તામાં કિચ્ચડ થયેલો હતો. આમ છતાં ચાલુ સામૈયામાં ૬૫/૭૦ વર્ષની ઉંમરના એ પુણ્યાત્મા, એકાએક આવ્યા અને એમણે કિચ્ચડના કારણે પોતાનાં કપડાં બગડવાની લેશ પણ દરકાર કર્યા વિના પરતારકશ્રીનાં પાવન ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
ત્યારે ૫૨મતા૨ક ગુરુદેવશ્રીજીએ એમની સામે જોઈને કહ્યું કે, ‘અરે ભાઈ ! આ તમારાં કપડાં ?’ એટલે તેમણે કહ્યું કે, ‘મહારાજશ્રી, મારાં કપડાં બગડ્યાં, એમાં શું થઈ ગયું ? આપે તો મારી આખી જિંદગી સુધારી નાંખી. આપે મને ઉગારી લીધો. બંધનોથી બચાવી લીધો. આપે તો મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.’
ગુરુદેવે કહ્યું, ‘હું તમને નથી ઓળખતો. મેં તમારી ઉપર શું ઉપકાર કર્યો ?’ ત્યારે એમણે કહ્યું કે, ‘મહારાજશ્રી ! આપ મને ક્યાંથી ઓળખો ? આપને તો અનેક મોટા મોટા ભક્તો છે, જ્યારે મારે તો આપ એક જ છો. આપના ઉપકારની વાત મકાને આવીને કરીશ.' એ પછી બપોરે ઉપાશ્રયે આવીને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org