________________
૧૭૫
--
૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ
-
20
.
તેવી વ્યક્તિ શક્ય હોય તેટલી સંસારની તમામ પ્રવૃત્તિઓ બંધ કરે. સ્વજનપરિવાર સાથેના તમામ વ્યવહારો બંધ કરી, કોઈ તીર્થમાં જઈને રહી જાય. એકાદ જોડી કપડાં - એકાદ ટંકનું ખાવાનું - એ પણ એક વસ્તુથી ચાલે તો બે નહીં, બેથી ચાલે તો ત્રણ નહિ અને ત્યાં જઈને બસ જ્ઞાન-ધ્યાનના અભ્યાસઆરાધનામાં લાગી જાય. કોઈએ કોઈના ઘરની વાત કરવી નહિ. કોઈની સાથે કાંઈ લેવા દેવા નહીં. બંધનથી છુટવું છે, તો આ પણ એક રસ્તો છે.
455
ઘણો સમય વીતી ગયો, હવે થોડો જ સમય હાથમાં છે, માટે ઘ૨માં કહી દો કે ‘હવે હું મારી શારીરિક નબળાઈઓ અને ઉંમરના કારણે સંસાર છોડીને સંયમ લઈ શકું તેમ નથી, પણ હવે મારે તમારી સાથે બંધાઈને જીવવું નથી. કોઈ બાબતમાં માથું મારવું નથી, મારે હવે તમારું કે વ્યવહારનું કોઈ બંધન નથી જોઈતું.
Jain Education International
સભા : સંસાર છોડી દેવો – એ હજુ સહેલું છે, પણ સંસારમાં રહીને આ બધું છોડી દેવું એ માનીએ એટલું સહેલું તો નથી જ.
હું ક્યાં કહું છું કે સહેલું છે, પણ એક વાત સમજી રાખો કે દુર્ગતિઓથી બચવું હોય તો આમ કર્યા વિના છૂટકો પણ નથી.
For Private & Personal Use Only
જે કરવું અનિવાર્ય હોય તે સહેલું છે કે અઘરું, - એ જોવાનું હોતું નથી. એને કઈ રીતે કરવું, - એ જ વિચારવાનું હોય છે.
જેને છૂટવું છે એને માટે આ વાત છે. જેને છૂટવું જ નથી એને માટે આ વાત નથી. જેને બંધન, બંધન લાગે એના માટે આમાં કાંઈ અઘરું નથી. મનસૂબો હોય તો માર્ગ મળી રહે ઃ એ જૈનેતરે બંધન તોડ્યું :
:
સભા : સંસારમાં રહીને આવું બધું કરવું એ શું અવ્યવહારુ નથી ? સંસારમાં રહીને જો આવું બધું કરવા જઈએ તો લોકો ગાંડા કહે.
જેને બંધન, બંધન લાગે તેને તેનાથી છૂટવાનું મન એટલું તીવ્ર હોય કે લોકો એને શું કહેશે, એની પરવા જ ન હોય. સંસારરસિક જીવોને શું વ્યવહારુ લાગે છે અને શું અવ્યવહારુ લાગે છે ? એનો વિચાર તેને જ આવે કે જેને હજુ બંધન બંધન લાગ્યાં ન હોય.
તમે તો જૈન છો. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના શાસનની ઉજળી છાયા
www.jainelibrary.org