________________
૧૭૪
૨ આતમ જાગો !
-
ના, કાંચળી છોડે નહીં ત્યાં સુધી જ એને એનું બંધન પણ કાંચળી છોડ્યા પછી સાપને કાંચળીનું બંધન નથી હોતું. સિંહને ગુફા છોડ્યા પછી પણ ગુફાનું બંધન હોય છે. આટલો સિંહમાં ને સાપમાં ફ૨ક છે. સિંહ ગુફા છોડીને નીકળે ત્યારે આગળ જઈને પાછળ ગુફા તરફ નજર કરે છે, જ્યારે સાપ કાંચળી મુકીને જાય ત્યારે પાછળ કાંચળી તરફ નજર પણ કરતો નથી. સિંહને પાછું ગુફામાં જવાનું હોય છે, જ્યારે સાપને પાછી કાંચળી પહે૨વાની નથી હોતી.
454
હવે તમારે વિચારવાનું છે કે, ગરવા ગિરિરાજની છાયામાં તમે જે ચાતુર્માસિક આરાધના કરવા આવ્યા છો, તે સર્પની જેમ કાંચળી ઉતારીને આવ્યા છો કે, સિંહની જેમ ગુફામાં પાછા વળવાનું આયોજન કરીને આવ્યા છો ? અહીં આવ્યા પછી ઘર સામે લમણો તો નથી વાળતાને કે અહીં રહીને પણ ઘરની ચિંતા-વિચારણા કરી લો છો ?
ઘણા તો આવ્યા ત્યારથી જવાનું પ્લાનીંગ કરીને આવ્યા છે અને ઘણાનું તો ‘પાછું’ જઈને ત્યાં શું કરવાનું ?' એનું ય પ્લાનીંગ ચાલુ થઈ ગયું છે. આ બધી વાતો એટલા માટે કરું છું કે તમને સમજાય કે ‘અમને કેટલાં બંધનો વળગેલાં છે.’
ચોવીશ કલાકમાં આત્મા ઉ૫૨ નજ૨ જતી નથી. ચોવીશ કલાકમાં આત્માનો વિચાર આવતો નથી. અહીં કહેવાની વાતોની જેવી અસર થવી જોઈએ તેવી અસર પણ થતી નથી, એનું કારણ આ પરિગ્રહ વગેરેનું બંધન પણ છે અને એ બંધન એટલું બધું મજબુત છે કે, જો આ બંધન સાથે મરવાનો વારો આવે તો કઈ ગતિ થશે ? એ મોટો સવાલ છે.
Jain Education International
અમે આવી વાત કરીએ એટલે મોટી ઉંમરવાળા આવે અને અમને કહે કે ‘દીક્ષા આપશો ?’ જો અમે ના પાડીએ તો ગામ આખામાં કહેતા ફરે કે ‘આપણી તો ભાવના બહુ હતી પણ મહારાજ સાહેબે જ ના પાડી.’ મૂળમાં બંધન છોડવાં નથી, પણ બંધન છોડવાનો દેખાવ કરવો છે, એનાં આ બધાં નાટકો છે.
જેમને બંધન બંધન લાગ્યાં હોય, એમને એ બંધનથી છૂટી દીક્ષા લેવાની ઈચ્છા છતાં ઉંમ૨ વગેરેને કારણે બંધન છોડીને દીક્ષા લઈ શકાય તેવું ન હોય તેને આ બંધનો ભરખી ન ખાય તે માટે પણ જ્ઞાની ભગવંતોએ અનેક માર્ગ બતાવેલા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org