________________
૧૭૩
–
૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20
-
453
જીવનમાં મિથ્યાત્વ ઉભું જ છે. પરિગ્રહ એ બંધન છે' - એવું જેને હૈયાથી ન લાગે તે બધાના જીવનમાં મિથ્યાત્વ જીવતું છે.
સમજના સ્તરે બંધન, બંધન લાગે તો જ્ઞાન જીવવું છે પણ હૃદયની લાગણી, સંવેદનાના સ્તરે બંધન, બંધન ન લાગે તો સમજવું કે, મિથ્યાત્વ જીવતું જાગતું બેઠું છે.
જેટલાં પણ બંધન તે બધાં ભૂંડા કહી શકાય. માટે જ વ્યવહારપ્રધાન દેશના આપતા મહાપુરુષો કહેતા કે, “પૈસો ભંડો છે.'
‘વ્યવહારપ્રધાન દેશના રેયા' સામાન્યતઃ દેશના વ્યવહારનયને મુખ્ય રાખીને આપવી. આ શાસ્ત્રવચનને અનુસરી પરમતારક ગુરુદેવ પણ કહેતા પૈસો ભંડો, તમે બોલી શકશો કે, પૈસો ભૂંડો ? તમારાથી નથી બોલાતું - સારું, થોડી સહેલી ભાષા વાપરું. “પૈસો બંધન ?' - એવું તો બોલી શકશો ને ? અહીં વ્યાખ્યાનમાં આવ્યા પછી પણ મન ઘરમાં ને ઘરમાં જ ફર્યા કરે છે, - એ શું બતાવે છે ? ઘરનું બંધન વળગ્યું છે, એ જ કે બીજું કાંઈ ? અહીં જોઈએ તેવું મન ઠરતું નથી એ પણ બંધનનું પરિણામ છે ને ? બે ઘડીનું સામાયિક પણ સાચું થતું નથી એ ય બંધનનું પરિણામ છે ને ? સામાયિકમાં સઝાય કરવાનો આદેશ માંગો છો ને ? આમ છતાં એ આદેશ માંગ્યા પછી પણ સ્વાધ્યાયને બદલે શું શું વિચારો આવે છે ? જ્યાં સ્વાધ્યાય વગેરે જ કરવાનો છે, ત્યાં તેના બદલે ન કરવા જેવા કે બધા વિચારો આવે છે, તે પણ બંધનનું પરિણામ છે ને ? ખરેખર ચેતના મૂરઝાઈ ગઈ છે. તમે અહીં (સાધુપણા) સુધી આવી શકતા નથી તેનું કારણ શું ? બંધન કે બીજું કાંઈ ? અહીં આવવાનો વિચાર પણ થતો નથી તેનું કારણ શું ? બંધન !
કોઈને દીકરાનું બંધન, કોઈને દીકરીનું બંધન તો કોઈને દીકરાના દીકરાનું બંધન કે કોઈને પત્નીનું બંધન. છેલ્લે અમને કહે કે, આટલાં વર્ષ આણે મને જાળવ્યો તો એને જાળવવાની મારી પણ ફરજ ખરી કે નહિ ? આવું કહેવું, માનવું, મનાવવું એ મિથ્યાત્વના બંધનથી ઘેરાયેલું પરિગ્રહનું - અવિરતિનું બંધન છે. બંધન, બંધન લાગે તો તોડવાના અનેક માર્ગો છે : સભા : સાપને કાંચળીનું બંધન હોય છે ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org