________________
452
૧૭૨
- ૨ - આતમ જાગો ! પુત્ર, પત્ની કે પરિવારને જુવો ત્યારે પણ થવું જોઈએ કે, “આ બંધન છે.” સભા : મમતા ન હોય તો પણ ?
શું તમે મમતા વગર ઘરમાં બેઠા છો ? ઘર છોડીને આવનારને પણ મમતા છોડવા મહેનત કરવી પડે તો તમારા જેવા ઘરને વળગીને બેઠેલા મને પૂછે છે કે, મમતા ન હોય તો ! મારે જ તમને પૂછવું છે કે, જો તમને મમતા નથી તો શા માટે ઘરમાં મજેથી બેઠા છો ? આગળ પાછળની વાત હમણાં બાજુમાં રાખી, આજની જ વાત કરીએ.
હમણાં જ તળેટી સ્પર્શના યાત્રા અંગે સાંબેલા વગેરેના ચડાવા બોલાયા ને ? તમે જ મને કહો કે, આ ચડાવા કેવા થયા ? જો ચડાવા બોલનારને મમતા ન હોત તો ચડાવા આ રીતે મોળા-મોળા બોલાયા હોત ?
ઘણી જગ્યાએ મેં જોયું છે કે એક વ્યક્તિ ૧૦૧ રૂપિયા બોલે તો બીજી વ્યક્તિ ૧૦૫ રૂપિયા બોલે ? ફરી પહેલી વ્યક્તિ ૨૦૧ બોલે તો સામે બીજી વ્યક્તિ ૨૦૫ બોલે ? એક વ્યક્તિ ૧૦૦, ૧૦૦ આગળ વધે છે. જ્યારે બીજી વ્યક્તિ એના ઉપર માત્ર પાંચ જ આગળ વધે છે. આ શું બતાવે છે ? આ જ બતાવે છે કે હજુ મમતા અકબંધ છે અને બરાબર ઘર કરીને બેઠી છે.
ઘરમાંથી જ્યારે કચરો કાઢવાનો વારો આવે ત્યારે કેવી રીતે કાઢો ? થોડોથોડો કે બધો ? આવ્યો કે તરત કાઢો ? કચરો કાઢઢ્યા પછી બોર્ડ મૂકો કે મેં આટલો કચરો કાઢ્યો ? ઉપરથી આબરું જાય છે, કેટલો બધો કચરો ભેગો કર્યો હશે કે એકસાથે આટલો બધો કચરો કાઢવાનો વારો આવ્યો. એનાં બોર્ડ હોય ? તો જો તમને ધન-સંપત્તિ કચરો લાગે, બંધન લાગે, તો એના ત્યાગનાં-દાનનાં બોર્ડ હોય? કે એનો તો માત્ર નિકાલ જ હોય ? બીજાં (બાહ્ય) બધાં બંધનો, બંધનો લાગ્યાં તો એને તરત જ છોડી દીધાં, એને માટે કોઈ ઉપદેશ કે ઉપદેશકની જરૂર ન પડી; તેમ આ પરિગ્રહ બંધન લાગે તો તે છોડવાનું મન કેમ ન થાય ?
જેનામાં મારાપણાની બુદ્ધિ-મમતા થાય તે “જોઈએ જ,' એમ થાય તેને સાચવવાનું, સંઘરવાનું જ મન થાય. એને કોઈ ન લઈ જાય તેની ચિંતા થાય, એ ચાલ્યું જાય તો રડવું આવે. આ બધું શું સૂચવે છે ? મમતા જ.
જો આપણી વિચારધારા અને ભગવાનની વાતનો મેળ ન મળે તો આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org