________________
૧૭૧
–
૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20
–
451
ફ્લેટ પણ બંધન ? ઓફીસ દુકાન-પેઢી પણ બંધન ? ખણખણીયા - કડકડતી નોટો પણ બંધન ? સોનાની લગડી-દાગીના પણ બંધન? હીરા-માણેક-મોતી પણ બંધન ?
આનો તમે જે પણ જવાબ આપો તે હૈયાથી આપજો ! જેથી તમારી આંતરિક ભૂમિકાનો ખ્યાલ આવે.
સભા પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી લક્ષ્મી તો બંધન નહિ ને ? લક્ષ્મીને માટે પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી છે - એમ ક્યારે કહેવાય ? લક્ષ્મી બંધન લાગે તો. જો મળેલી અગર તો મેળવેલી લક્ષ્મી બંધન ન લાગે તો તે પુણ્યાનુબંધી પુણ્યથી મળી છે, - એમ ન કહેવાય. પાપાનુબંધી પુણ્યથી મળી છે, - એમ જ કહેવું પડે ?
હૈયાની કબુલાત આપો કે લક્ષ્મી એ બંધન છે, તો કહી શકું કે, “તમારી લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્યની છે.'
ભલે આજ સુધી “આ પરિગ્રહ બંધન છે” – એમ નથી લાગ્યું પણ તે આજે લગાડવું છે અને એટલા જ માટે આજે આ વિષયમાં ઊંડા ઉતરવું છે.
ભગવાન શ્રી મહાવીરદેવે પરિગ્રહને બંધન કહ્યો છે. જ્યાં સુધી એ બંધન નહીં લાગે ત્યાં સુધી આત્મવિકાસના માર્ગે આગળ નહીં જ વધાય. આજે એમાં આગળ વધવું છે, ઉડા ઉતરવું છે.
હું તમને એક એવું ધ્યાન બતાવવા માગું છું કે જેમાં શાસ્ત્રના વિશેષ અભ્યાસની જરૂર ન પડે, લાંબા કોઈ પુસ્તકની જરૂર ન પડે. ઉડા બોધની આવશ્યકતા ન રહે. ક્યાંય બહાર જવાની પણ જરૂર ન પડે અને ઘરમાં બેઠાંબેઠાં જ તમે આ ધ્યાનનો અભ્યાસ કરી શકો. ઘરમાં જાવ અને કોઈ પણ ચીજ દેખાય, એટલે તરત જ તમારા મનમાં થવું જોઈએ કે “આ બંધન છે.'
રાચરચીલું જુવો, એટલે તરત જ લાગવું જોઈએ કે, “આ બંધન છે.”
કબાટ ખોલો અને એમાં કપડાંની જોડની થપ્પી જુવો, ત્યારે પણ થવું જોઈએ કે “આ બંધન છે.'
મનગમતી એક જાળી પણ જુવો, ત્યારે પણ એમ જ થવું જોઈએ કે “આ બંધન છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org