________________
૧૭૦
૨ - આતમ જાગે !
450
છે, એટલું તો તમે જાણો છો ને ? “શ્રી વંદિત્તા સૂત્ર'ની -
પ--fg-વધૂ, W-સુવરે જ વિપરિમાને છે
दुपए चउपयंमि य, पडिक्कमे देसियं सव्वं ।।१।।' - આ ગાથા તો તમે પ્રતિક્રમણ દરમ્યાન બોલી-સાંભળી છે ને ? એમાં નવે ય પ્રકારના પરિગ્રહનો નામોલ્લેખ કર્યો છે.
૧ – ધન-નાણું, ૨ – ધાન્ય-અનાજ, ૩ – ક્ષેત્ર-જમીન, ૪ - વાસ્તુ-મકાન, ૫ - રૂપ્ય-ચાંદી, ૭- સુવર્ણ-સોનું, ૭ - કુષ્ય-અન્ય ધાતુઓ, ૮ - દ્વિપદ-બે પગમાં : પુત્ર-પત્ની, પરિવાર, નોકર, ચાકર, પંખી વગેરે અને ૯ - ચતુષ્પદ- ચાર પગવાળાં જનાવર વગેરે - આ નવ પ્રકારનો પરિગ્રહ છે અને આ નવમાંથી કોઈ પણ પ્રકારનો પરિગ્રહ ન હોવા છતાં એના પ્રત્યે મનમાં મમતા રહી જાય તો એ મમતા પણ પરિગ્રહ છે. જેને માટે “મુછી પરિષદો વૃત્તો' - એવું સૂત્ર છે. પણ એની વાત પછી કરશું. અત્યારે તો જે નવ પ્રકારનો કે નવ પૈકી એક કે અનેક પ્રકારનો પરિગ્રહ તમે ભેગો કર્યો છે કે કરવા ધારો છો, તે બધું જ બંધન છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
આજ સુધી તમે જે કાંઈ મેળવ્યું છે, જે કાંઈ મેળવવા માટેનો પ્રયત્ન કર્યો છે. મેળવેલાને સાચવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ચોવીસ કલાક તેના માટે જ પ્રયત્નશીલ છો, ચોવીસ કલાક મનમાં તેના જ વિચારો કર્યા છે, તેને કારણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ થાય છે, માટે જ તે પરિગ્રહ મોટામાં મોટું બંધન છે એમ ભગવાન મહાવીરે કહ્યું છે. જેટલા મોટા શ્રીમંત તેટલા વધારે બંધાયેલા :
ભગવાન મહાવીર પરમાત્માએ બંધન કોને કહ્યું? સુધર્માસ્વામીજી મહારાજા કહે છે કે, ભગવાન મહાવીરે પરિગ્રહને બંધન કહ્યું છે.
જેટલા વધારે શ્રીમંત તેટલા વધારે બંધાએલા, વધારે ખરડાએલા - વધારે લેપાએલા.
આજ મુદ્દે હવે મારે તમારી સાથે સંવાદિતા સાધવી છે. એટલે હવે મારે તમને પૂછવું છે – બોલો ! તમારી શ્રીમંતાઈ પણ બંધન? બંગલો પણ બંધન ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org