________________
૧૬૮
૨ - આતમ જાગો !
-
448
સુખને સારું નથી માનતા એટલે અમારામાં મિથ્યાત્વ નથી. સુખને ભોગવવાનું કામ તો અવિરતિથી થાય છે અને અવિરતિ એ મિથ્યાત્વ જેટલી ખરાબ નથી, માટે સુખને સારું ન માનવું, બાકી ભોગવવામાં વાંધો નથી' - આવી ખોટી માન્યતા પણ મિથ્યાત્વના કારણે જ ઉદ્ભવતી હોય છે.
આવી કેળવણી કોણ આપે છે ? અવિરતિને પોષવા શાસ્ત્રવચનોનું ખોટી રીતે ઓઠું લેવાનું પણ માર્ગદર્શન કોણ આપે છે ? મિથ્યાત્વ કે બીજું કોઈ ?
અમે સુખને સારું માનતા નથી, એટલે અમારામાં મિથ્યાત્વ નથી. જેનામાં મિથ્યાત્વ ન હોય તેને સુખ ભોગવવા છતાં કર્મનો બંધ અલ્પ જ થાય. માટે અમે ગમે તેટલું સુખ ભોગવીએ તો પણ અમને તો કર્મનો બંધ અલ્પ જ થવાનો છે. કારણ કે, અમે સમ્યગ્દષ્ટિ છીએ. શાલિભદ્ર અપાર સુખ ભોગવ્યું, છતાં સમકિતને કારણે ક્યાં એમને ઝાઝો કર્મબંધ થયો છે ? અમે ગમે તેટલાં સુખ ભોગવીએ તે પણ શાલિભદ્ર જેટલાં તો નહિ જ ને ? પછી અમારે ક્યાં મુંઝાવાની જરૂર છે ? આવી રીતે શાસ્ત્રવચનોનું ઓઠું લઈને અવિરતિને પંપાળવાનું કામ પણ મિથ્યાત્વ જ કરાવે છે.
આથી કોઈએ ઉતાવળ કરીને દાવો કરવા જેવો નથી કે મારું મિથ્યાત્વ ગયું છે અને મારામાં સમ્યગ્દર્શન આવ્યું છે.
ગમે તેટલી સંતની તળાઈ હોય, પણ જો એમાં માકણ પડ્યા હોય તો સભાન
. બેભાન માણસની વાત જુદી છે, તેમ સમ્યગ
ળાં સુખ મળે પણ સમ્યગ્દર્શનના પ્રભાવે તે સુખી
રહે. જેના જીવનમાં સાચા અર્થમાં ગુણો પ્રગટ્યા હોય તે કદી એવો દાવો ન કરે કે, મારામાં આવા આવા ગુણો પ્રગટ્યા છે. ગુણો એ પ્રદર્શન કરવાની વસ્તુ નથી; પણ માણવાની-અનુભવવાની વસ્તુ છે. કહ્યું પણ છે ને કે –
'बडा बडाई ना करे, बडा न बोले बोल:
हीरो मुख से ना कहे, लाख हमेरो मोल' તમે નાહી-ધોઈને નીકળ્યા હો, ચોખાં કપડાં પહેર્યા હોય, અને ઉપર સેન્ટ કે પરફ્યુમનો ઍ કરીને આવ્યા હો તો તમારે કોઈને કહેવાની જરૂર નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org