SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ Xx ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 જે સંયમ સાધનાથી મુક્તિ મળે તેના ફળ તરીકે બંધનની માંગણી ? અમૃતને ઢોળીને વિષ્ટા કોણ ચાટે ? ઐરાવણને વેચીને ગર્દભ કોણ ખરીદે ?’ ચિત્ર મુનિએ આવાં આવાં અનેક અમૃત વચનોથી સંભૂતિમુનિને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ સંભૂતિમુનિ એકના બે ન થયા. જ્યારે તેજોલેશ્યા મૂકી ત્યારે સમજાવ્યા તો તરત વળી ગયા કારણ કે ત્યારે મિથ્યાત્વ ન હતું. માત્ર કષાયનો ઉદય હતો. પરંતુ હવે અવિરતિ ભેગું મિથ્યાત્વ ભળ્યું. એટલે સમજાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં તેમાં સફળતા ન મળી. 447 સંભૂતિમુનિના આત્મા ઉપર મિથ્યાત્વ કબજો જમાવીને બેસી ગયું હોવાથી તેમને ચિત્રમુનિએ કહેલી વાતો બુદ્ધિથી સમજાણી પણ ગળે ન ઉતરી. જીવનમાં ઘોર તપ-ત્યાગ કર્યો, અપાર કષ્ટો વેઠ્યાં, અસહ્ય એવા પણ પરીષહો સહન કર્યા. હવે જો તેના ફળમાં સુખ ભોગવવાનું જ ન હોય તો શું કરવાનું ? આટલાં દુ:ખો ભોગવીને તેનાં બદલામાં જો સુખો ભોગવવાનાં જ ન હોય તો તે ત્યાગનો - કષ્ટો સહન કરવાનો અર્થ શું ? આવા વિચારોએ એમના આત્મા ઉપર કબજો જમાવ્યો. Jain Education International આ બધો પ્રભાવ અવિરતિની તીવ્રતામાંથી પ્રગટેલા મિથ્યાત્વનો હતો. અવિરતિ તીવ્ર બને તો ગમે ત્યારે મિથ્યાત્વને ખેંચીને લાવે. મિથ્યાત્વ ન હોય ને માત્ર અવિરતિનો જ ઉદય હોય તો પણ ઘણું સાવચેત રહેવું પડે નહિ તો અવિરતિના સહારે મિથ્યાત્વ ક્યારે સવાર થઈ જાય કહેવાય નહીં. ઘણા એમ માની બેઠા છે કે મિથ્યાત્વ તો ગયું, એટલે હવે અમને ઝાઝો કર્મબંધ નહિ થવાનો, પછી અવિરતિથી શું કામ ડરવું ? અને ધર્મોપદેશક એમને કાંઈક કહેવા જાય તો એમને પણ કહે કે, ‘અમ્પોસિ દોડ્ વંધો’ પણ એ એટલું ય ન વિચારે કે, ‘સપ્લોસિ દોડ્ વંધો' વચન કોના માટે છે ? For Private & Personal Use Only માત્ર મિથ્યાત્વથી જ ડરવાની જરૂર નથી. અવિરતિથી પણ ડરવાની જરૂર છે. મિથ્યાત્વ તો ભયંકર છે જ પણ અવિરતિ પણ કાંઈ ઓછી ભયંકર નથી. મિથ્યાત્વ ગયા પછી જો વધુમાં વધુ ડર કોઈનો ય રાખવાનો હોય તો તે અવિરતિનો રાખવાનો છે. કારણ કે, તગડી થયેલી અવિરતિ ગમે ત્યારે મિથ્યાત્વને ખેંચી લાવે છે અને સાધકને પકડી પાડે છે. ‘સુખ ભોગવવું એ કાંઈ મિથ્યાત્વ નથી, એ તો માત્ર અવિરતિ જ છે. અમે www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy