________________
૧૬૫ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 – 445 જ તેને વૈરાગ્ય પ્રગટ્યો. સર્વસંગનો ત્યાગ કરી તેણે સર્વવિરતિ સ્વીકારી, એક દિવસમાં જ એની એવી ઉત્તમ આરાધના કરી કે, જેના પરિણામે તેઓએ સાતેય નરકને યોગ્ય કર્મો ખપાવી એવા પ્રકૃષ્ટ પુણ્યને ઉપાર્જન કર્યું કે, મરીને સીધા જ તેઓ સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મનુષ્ય થઈ મુક્તિમાં જશે.
જો એક દિવસ મોડા પડ્યા હોત તો તેઓ નક્કી સાતમી નરકે જાત. કારણ કે જેટલા ચક્રવર્તી સંસારનો ત્યાગ કર્યા વગર મર્યા તે બધા જ મહાઆરંભ અને મહાપરિગ્રહના કારણે નરકે ગયા છે. સુભૂમ અને બ્રહ્મદત્ત આ બે ચક્રવર્તી પણ આ બે કારણે નરકમાં ગયા, બાકી બધા સંસારત્યાગ કરીને દેવલોકમાં ગયા કે મોક્ષમાં ગયા.
આચાર્ય ભગવંતે ચક્રવર્તી માટે ક્યો શબ્દ વાપર્યો ? “ચોર-તસ્કર.” આ શબ્દ ગાળના અર્થમાં નથી વાપર્યો, પણ અનુકંપાના અર્થમાં વાપર્યો છે. વધ્યસ્થાન ઉપર ચડેલો તો એક જ વાર કપાવાનો જ્યારે નરકમાં ગયેલો કેટલીવાર કપાવાનો ? જ્ઞાનદષ્ટિએ ચક્રવર્તીપણાનું ફળ નરકગતિ જાણીને, તેમાં એને ભોગવવા પડનારાં દુઃખોને જાણીને એ જીવ ઉપરની કરુણાભાવનાથી આ શબ્દ વપરાયો છે.
માટે જ પરમતારક ગુરુદેવ કહેતા હતા કે “શ્રીમંતને જોઈને જે સાધુને તેની દયા ન આવે એને અને તેવા શ્રીમંતને જોઈને જેને ગલગલીયાં થાય, તે સાધુને સાધુપણાનો સ્વાદ આવ્યો જ નથી.'
સભાઃ ધર્મીષ્ઠ હોય એવા શ્રીમંતની તો અનુમોદના કરાયને ? તેના ધર્માનુષ્ઠાનની અનુમોદના કરાય, પણ તેના રૂપિયાની નહીં.
આજે સાધર્મિક ભક્તિ કરવાની હોય ત્યારે એક શ્રીમંત હોય અને બીજો સામાન્ય સ્થિતિનો હોય તો બન્નેની સરખી ભક્તિ કરાય છે? એવા લોકોને તો સાધર્મિક વાત્સલ્યમાં પીરસવાય ઉભા ય ન રખાય કે જે સાધર્મિક, સાધર્મિકમાં પણ ભેદભાવ કરે. અવિરતિ તીવ્ર બને તો મિથ્યાત્વને ખેંચી લાવે ? સંભૂતિમુનિને પહેલાં અવિરતિનો ઉદય થયો અને તે પછી તેમાંથી મિથ્યાત્વનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org