SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ૨ - આતમ જાગો ! 444 ભાષણ સાંભળવા અને સ્વાગત કરવા દોડી જાવ ? ચક્રવર્તીના સ્વાગત સમયે પણ ત્યાંનાં લોકો એકચિત્તે ધર્મદેશના સાંભળી રહ્યાં હતાં. એવામાં સ્વાગતયાત્રા નજીક આવતાં લોકોનો કોલાહલ અત્યંત વધી ગયો. એ કોલાહલના કારણે ધર્મશ્રવણમાં વિક્ષેપ પડ્યો. એટલે ધર્મસભામાંથી કોઈકે આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો કે, “ભગવંત! આ બધો કોલાહલ શાનો છે ?' એના ઉત્તરમાં જ્ઞાની આચાર્ય ભગવંત શ્રી સમંતભદ્રસૂરિજી મહારાજે જે કહ્યું કે મારે તમને કહેવું છે. જેના ઉપરથી જૈનશાસનના ધર્માચાર્યોની વિવેકદૃષ્ટિ કેવી વૈરાગ્ય રંગથી રંગાયેલી હોય છે, તેનો ખ્યાલ આવી શકે. આચાર્ય ભગવંતે કહ્યું કે, “એક ચોર-તસ્કર ચોરીના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો છે અને એના ગુન્હા બદલ મૃત્યુદંડની સજા ફરમાવાઈ છે અને એ સજાનો અમલ કરવા માટે એને વધ્યસ્થાને લઈ જવાઈ રહ્યો છે, એનો આ બધો કોલાહલ છે.' એક ચક્રવર્તીને જૈનાચાર્ય કઈ દૃષ્ટિએ જુવે છે; તે આના ઉપરથી સમજવાનું છે. સભામાંથી ફરી પૂછવામાં આવ્યું કે, “ભગવંત ! શું એ ચોર માટે બચવાનો કોઈ માર્ગ નથી ?' આચાર્ય ભગવંતે કહ્યું કે, “એને એની શિક્ષાથી બચવાનો માર્ગ જરૂર છે, પણ એ માટે એને અહીં લાવવો જરૂરી છે. આ સાંભળી શ્રોતા પૈકી એક વ્યક્તિ જઈને ચક્રવર્તીને ધર્મસભામાં દોરી લાવી અને ચક્રવર્તી પણ વિશેષ જ્ઞાનશક્તિવાળો હોઈ આચાર્ય ભગવંતનો અભિપ્રાય જાણી, સભાને લાભ થશે, તેમ જાણી પોતાની વૈક્રિય શક્તિથી ચોરનું રૂપ સજીને ધર્મસભામાં આવ્યો. હકીકતમાં અનુસુંદર ચક્રવર્તીનું માત્ર એક જ દિવસનું આયુષ્ય બાકી હતું અને સાતમી નરકને યોગ્ય કર્મોનો સંચય તેણે કરી લીધો હતો. મહાઆરંભ અને મહાપરિગ્રહના પરિણામે આ બધો કર્મસંચય થયેલો હતો. જો આજની ધર્મદેશના સાંભળી તેને વૈરાગ્ય ન પ્રગટ્યો હોત અને સંસાર ત્યાગ કરી તેણે સર્વવિરતિ ન સ્વીકારી હોત તો તેની સાતમી નરક થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું. પરંતુ તેની વિશેષ યોગ્યતાના કારણે ધર્મશ્રવણ કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy