________________
૧૯૧
–
૭ઃ અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિચ - 20
-
441
સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી ચેતીને રહેવું પડે. જો સમકિતી સાવધ ન રહે તો અવિરતિ ગમે ત્યારે મિથ્યાત્વને ખેંચીને લાવે. સમ્યગ્દર્શને આવ્યા પછી પણ આ અવિરતિ ભલભલા સાધકને પટકી નાંખે છે. નિમિત્ત મળતાં જ અવિરતિનો ભડકો :
ચિત્ર અને સંભૂતિમુનિએ, દીક્ષા લીધી, નિર્મળ સાધુપણું પાળ્યું, ઘોર તપ કર્યો, તેના કારણે એમને અનેક લબ્ધિઓ પેદા થઈ છે. તપના પારણે ભિક્ષા વહોરવા નગરમાં ગયા. ત્યાં સનતકુમાર ચક્રીનો મંત્રી નમુચિ હતો. જે ભૂતકાળમાં અનેક ખોટાં પરાક્રમો કરી ચૂક્યો હતો. આમ છતાં એના દુષ્પરિણામોથી એને ઉગારવાનું કામ આ મુનિવરે કર્યું હતું. તો પણ એ મુનિવરને જોતાં જ એને થયું કે, મારાં બધાં જ ખોટા આચરણો આ મહામુનિ જાણે છે. જો તેઓ કોઈને મારો ભૂતકાળ કહી દેશે તો મારે ચક્રવર્તીનું મંત્રીપણું ગુમાવવાનો વારો આવશે.
‘પાપા: સર્વત્ર દિતા ‘જેણે પાપ કર્યા હોય તે સર્વત્ર શંકાવાળો હોય છે.' નમુચિએ પોતાની ફૂટપટ્ટીથી મહાત્માનું માપ કાઢ્યું. જેમણે પરમાત્માના શાસનનું સાધુપણું આરાધ્યું હોય, જે આત્મભાવમાં લીન હોય, તેમને બીજાના દોષ જોવાનું કે, બોલવાનું મન પણ થતું નથી.
આમ છતાં પોતાની દુષ્ટતાના કારણે જ ભયથી પ્રેરાઈને નમુચિએ ઉત્તમ સંયમ સાધક એવા પણ એ સંભૂતિ મુનિવરને મારપીટ કરીને ગામ બહાર કાઢવાનો આદેશ આપ્યો અને રાજ્યના સિપાઈઓ મહાત્માની પાછળ પડી ગયા. તેઓ લાકડીઓના માર મારી મારીને મુનિને નગર બહાર કાઢવા લાગ્યા. મુનિવરે કહ્યું કે, “તમે મને શા માટે મારો છો ? તમે કહો તો ચાલ્યો જાઉં. મને જવા દો !” પણ આ બધાને મુનિવર માત્ર ચાલ્યા જાય એમાં રસ ન હતો. એમને તો માર મારીને, ફજેત કરીને કાઢવા હતા, એટલે જેના હાથમાં જે હતું તેનાથી તેઓ મારતા ગયા. જેને કારણે અનેક વાર મુનિવર પડી ગયા. આમ છતાં એ લોકોએ મારવાનું બંધ ન કર્યું. ત્યારે મુનિવરની ધીરજ ખૂટી, ક્ષમા તૂટી અને તેમાંથી ક્રોધનો આવેશ પ્રગટ્યો. આજ સુધી કરેલી સંયમ સાધનાના પરિણામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org