________________
૧૫૯
–
૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20
–
439
પુદ્ગલના અભાવમાં થતી સુખની અનુભૂતિ ભ્રામક લાગે, એ વળી અનુભૂતિ કેવી ? અનુભૂતિ જ નથી. પુદ્ગલ વગરનું સુખ કેવું? પુદ્ગલ વગરનું સુખ એ સુખ જ નથી એવું લાગે, હાથનું છોડીને કોણીનું ચાટવા જેવી વાત લાગે, તે પણ મિથ્યાત્વનો પ્રભાવ છે.
આ મિથ્યાત્વ આત્માને, કર્મને, કર્મનાં બંધનોને, કર્મબંધનાં કારણોને નહિ ઓળખવા દે ! કદાચ બૌદ્ધિક રીતે સમજાશે તો પણ હૃદયથી તો નહિ જ સ્વીકારવા દે.
જ્યાં સુધી મિથ્યાત્વ કામ કરે છે, ત્યાં સુધી કષાયો તગડા હોય છે. અવિરતિ પણ બળવત્તર હોય છે.
સમ્યક્તને પામવાનો પ્રયત્ન બીજા નંબરે કરવાનો છે; જ્યારે મિથ્યાત્વને કાઢવાનો પ્રયત્ન તો પહેલાં નંબરે કરવાનો છે. તમારા “શ્રાવક જીવનની કરણીની સઝાય'માં પણ કહ્યું છે કે –
'मनइ जिणाणमाणं मिच्छं परिहरइ, धरइ सम्मत्तं' “શ્રાવક પણ જિનાજ્ઞાને માવ્યા બાદ પહેલાં મિથ્યાત્વનો
ત્યાગ કરે પછી સમ્યકત્વનો સ્વીકાર કરે.’ મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે પહેલાં મિથ્યાત્વને ઓળખવું પડે. મિથ્યા વિચારધારાને પણ ઓળખવી પડે, એને ઓળખીને એ મિથ્યા વિચારધારાનો અને મિથ્યાવૃત્તિઓનો પણ ત્યાગ કરવો પડે. એ વિના સમ્યગ્દર્શન નહીં આવે. છએ દર્શનોની ચર્ચા એટલા જ માટે કરવામાં આવી છે.
સૌ, સૌનું કરે, આપણે તેની ભાંજગડમાં પડીને શું મતલબ છે ? – એમ વિચારીને તત્ત્વની શોધ જ ન કરવી – એ પણ મિથ્યાત્વનું જ પરિણામ છે. અને જો આ વિચારણા સાચી હોય તો આ સૂયગડાંગસૂત્રની રચનાને ખોટી ગણવી પડે. એની રચના કરવાની કોઈ આવશ્યકતા જ ન રહે.
અજ્ઞાનીને જો અજ્ઞાન ગમતું હોય તો એના અજ્ઞાન સાથે મિથ્યાત્વ ભળેલું જ છે. કોઈના દ્વારા અપાતા જ્ઞાનને લેવાનો જે અજ્ઞાની પ્રયત્ન કરે, તેનું મિથ્યાત્વ ગયું છે કે, નબળું પડ્યું છે - એમ કહીશું. પણ જો કોઈ જ્ઞાની આપણને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છતાં આપણે લઈએ જ નહિ પોતાનું પકડી જ રાખીએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org