________________
૧૫૩
–
૯ : કષાય બંધનની બહુરૂપિતા - 19
–
433
વિકથાનું જ પરિણામ કે બીજું કાંઈ ?
વિકથાના કારણે ઘણાનાં સામાયિક, પ્રતિક્રમણ રહી ગયાં. ઘણાંનો સ્વાધ્યાય રહી ગયો. ઘણાનાં વ્યાખ્યાન ચુકાઈ ગયાં. ઘણાંની પૂજાઓ રહી ગઈ. ઘણાના ઉત્તમ આરાધનાના અવસર પણ ચુકાઈ ગયા. આવું બધું બને છે કે નહિ ? પૂજા કરવા નીકળ્યા અને રસ્તામાં કોઈ મળી ગયું. એ વખતે વિકથામાં જો ચડી ગયા તો કલાક ક્યાં પૂરો થયો એની ખબર ન પડે. અને એ સમય પૂરો થયો એનો કાપ ક્યાં પડે ? પૂજા ઉપર જ ને ? એવું જ સ્વાધ્યાય – આરાધના આદિના વિષયમાં બને છે કે નથી બનતું તે તમે સ્વયં વિચારી જુઓ. આ વિકથાના પાપે તો ઘણાનાં પોતાનાં જીવન બરબાદ થયાં અને ઘણાએ બીજાનાં
જીવનને પણ બરબાદ કર્યો. આ બધાં વિકથાના અનુભવો છે. આ બધી વિકથાના કારણે પણ ઘણો ધર્મ થઈ શકતો નથી.
શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે આ પાંચ પ્રમાદો જીવને પોરાતિયો નરવું નયત્તિ' અતિભયંકર નરકમાં લઈ જાય છે.
માટે જ શ્રી ગૌતમસ્વામી મહારાજાએ પોતાની દેશનામાં કહ્યું છે કે પંવિલંપિ પમાયં પુરુથીવાય’ આ પાંચ પ્રમાદ મહાઆપત્તિને નોતરનારા છે. આ પાંચ પ્રમાદનો જે ત્યાગ કરી શકે તે ધર્મ કરી શકે.
પાછો એ ત્યાગ પણ થાય છે'. “કરશું' એમ કહી જે ધીમે ધીમે કરે તે ધર્મને હારી જાય છે, ધર્મના અવસરને ચૂકી જાય છે. માટે કહ્યું કે શરીર ઉપર સાપ ચડે; ધીમે ધીમે ન ઉતારાય. એકઝાટકે કાઢવો પડે, તેમ પ્રમાદનો ત્યાગ ધીમે ધીમે નથી કરવાનો પણ “ક્ષત્તિ જલ્દી-એકઝાટકે જ કરવાનો છે.
તમને સાપ ચડ્યાનો અનુભવ નથી પણ શરીર ઉપર મંકોડો ચડી ગયો હોય તો પણ કેવી રીતે કાઢો ? યોગ : મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ કહેવાય છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ - એમ ત્રણ પ્રકારનો યોગ છે.
જેના જીવનમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કે કષાય ન હોય તેવા વીતરાગને આ મન, વચન, કાયાના યોગો આત્મસાધનામાં બાધક બની શકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org