________________
૧૫૧
-
૯ : કષાય બંધનની બહુરૂપિતા - 19
481
૪. નિદ્રા :
નિદ્રાના કારણે ઘણાં લોકો ધાર્યો ધર્મ કરી શકતાં નથી. સવારે વહેલા ઉઠાતું નથી, માટે સામાયિક-પ્રતિક્રમણ થતું નથી.
સવારે વહેલા ઉઠાતું નથી, માટે સ્વાધ્યાય, ધાર્મિક અભ્યાસ, ધાર્મિક વાંચન થતું નથી.
સાંજે ઊંઘ વહેલી આવે, માટે પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ થતાં નથી. બપોરે ઊંઘવા જોઈએ માટે બપોરે પણ સામાયિક, ધર્મ વાંચન વગેરે થતું નથી. ઘણા ઊંઘના એવા ગુલામ હોય કે, જ્યારે વ્યાવહારિક કોઈ જવાબદારી ન હોય કે ધંધા વગેરેની પ્રવૃત્તિ ન હોય ત્યારે ઘોરવા જ માંડે, પણ ત્યારે તેને ધર્મ સાધના કરવાનું મન ન થાય. અને કેટલાક લોકો ધર્મ કરે તો તેમાં પણ એને નિદ્રા આવે. સામાયિકમાં, પ્રતિક્રમણમાં, નવકારવાળી ગણતાં, વ્યાખ્યાન સાંભળતાં બધે નિદ્રા આવે, પણ રૂપિયાની નોટ ગણતાં નિદ્રા ન આવે. ખાતાં ખાતાં નિદ્રા ન આવે. ઘણા તો સામાયિક-પ્રતિક્રમણ કરવા બેસે જ એવી રીતે કે, ઊંઘ ન આવતી હોય તો પણ આવે. સ્વાધ્યાય કરવા બેસે ત્યારે ઝોકાં આવે પણ વાતે ચડી જાય ત્યારે રાત્રિના બાર વાગે તો પણ ઊંઘ ન આવે, બીજા કહે “ભલા ! હવે તો ઊંઘો” તોય કહે “ઊંઘીએ છીએ. તમે ઊંઘી જાવ.” રાત્રે પણ ઊભા ઊભા બે કલાક વાતે ચડી જાય તો નિદ્રા ન આવે. જ્યાં રુચિ, મનનો ગમો હોય ત્યાં નિદ્રા નથી આવતી. જ્યાં રુચિ ન હોય, અગર રુચિ ઓછી હોય ત્યાં નિદ્રા આવે છે. ૫. વિકથા : - આ વિકથા ચાર પ્રકારની છે. અને સાત પ્રકારની પણ છે. ૧. રાજ્યકથા, ૨. દશકથા, ૩. ભક્તકથા, ૪. સ્ત્રીકથા, ૫. મૃદુકાણિક કથા, ૬. દર્શનભેદિની કથા, ૭. ચારિત્રભેદિની કથા, ૧. રાજકારણની વાતો એ રાજકથા છે. ૨. દેશવિદેશના રીતરિવાજો વગેરેને લગતી વાતો એ દેશકથા છે. ૩. ભોજન-વાનગીને લગતી ખાણી-પીણીની વાતો એ ભક્તકથા છે. ૪. સ્ત્રીઓના રૂપ-રંગ, શૃંગાર, હાવ-ભાવ વગેરેને લગતી વાતો એ સ્ત્રીકથા છે, તે જ રીતે સ્ત્રીઓ ભેગી થઈને પુરુષોના રૂપરંગ, સ્વભાવ, હાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org