SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦. - ૨ - આતમ જાગો ! – 430 પત્ની - શ્રાવિકા પૂછે કે, પૂજા કરવા જવાનું હતું ત્યારે તાવની વાત કરતા હતા અને હવે એકાએક ક્યાં ચાલ્યા ? તો કહે કે, એ તને ખબર ન પડે. આ રીતે પૂજાના સમયે માંદગીની વાત કરવી તે માયાચાર નહિ તો બીજું શું? કોઈ પણ પ્રકારનો માયાચાર તાત્ત્વિક ધર્મને પામવા ન દે. તાત્ત્વિક ધર્મને પામવા માયાચારને તિલાંજલિ આપવી પડે. તમારા ઘરમાં ધર્મ રડે છે ? તમારા ઘરમાં રોજ ધર્મ રોતો હોય છે. તમને સંભળાય છે ? એ એમ કહે છે કે આ ઘરમાં સૌથી અણમાનીતો હું છું, જ્યારે કોઈનો વારો ન હોય, ત્યારે સૌથી છેલ્લે મારો વારો હોય. સોમવારથી શનિવાર સુધીમાં કહે કે આજે ધર્મ કરવા માટે સમય નથી અને છેવટે રવિવારે ધર્મનો વારો, તેમાં પણ પ્રોગ્રામ આવી ગયો તો ધર્મ નહિ. આખી જિંદગી કહે કે, આ ઉંમરમાં ધર્મ ન હોય, ધર્મ તો છેલ્લી ઉંમરમાં કરશું અને ઘરડો થાય એટલે કહે કે, હવે શરીર ધાર્યું કામ નથી આપતું. તમારા ઘરમાં ધર્મની આ પરિસ્થિતિ છે. લોભ ખાતર ધર્મને ધક્કો : કેટલાક લોકોને લોભ એટલો બધો વહાલો હોય છે કે તેને લોભ ખાતર ધર્મને ધક્કો મારતાં વાર નહિ લાગે. લોભને પરવશ પડેલા હિંસક ધંધાઓ દ્વારા અહિંસાને, અસત્યના આચરણ દ્વારા સત્યને, ચોરી વગેરે દ્વારા નીતિમત્તાને હડસેલે ચડાવતા હોય છે. લોભને પરવશ પડેલાઓ ધર્મક્રિયાઓની ઘોર ઉપેક્ષા કરતા હોય છે. લોભને પરવશ પડેલાઓ દાનાદિ ધર્મથી દૂર રહેતા હોય છે. લોભને પરવશ પડેલાઓ જ્યાં જ્યાં ધન ખરચવું પડે કે, ધંધા વગેરે ઉપર કાપ આવે તેવાં ધર્મસ્થાનોમાં જવાનું ટાળતા હોય છે. તેવાં ધર્માનુષ્ઠાન કરવાનું ટાળતા હોય છે. આમ લોભની પરવશતા આત્માને ધર્મથી દૂર રાખે છે. આ રીતે કોઈને ક્રોધ, કોઈને માન, કોઈને માયા, કોઈને લોભ તો કોઈને ચારે ય કષાયો સતાવે છે. જેના પરિણામે આત્મા ધર્મથી દૂર જ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy