________________
૧૪૯
૬ : કષાય બંધનની બહુરૂપિતા – 19
I
૩. કાય :
કષાયની આધીનતા ધર્મમાં નડતરરૂપ :
કષાયની આધીનતા પણ ધર્મમાં અંતરાયરૂપ છે.
ક્રોધ, અભિમાન, માયા કે લોભ. આ ચાર પૈકી કોઈપણ કષાયની આધીનતા ધર્મ કરતાં અટકાવે.
429
વ્યાખ્યાનમાં આવવા નીકળ્યા, ઘ૨માં કજિયો થયો; જવું નથી.
અહીં ઉપાશ્રયમાં આવ્યા, માન-પાન ન મળ્યું; હવે ઉપાશ્રયમાં નથી
આવવું.
લોભને વશ બનેલાને ઓફિસ-પેઢીનું કામ આવે એટલે ધર્મ રહી જાય. એને એ કામ અગત્યનું લાગે પણ ધર્મ અગત્યનો ન લાગે.
ક્રોધ કે માન, માયા કે લોભ, એ ધર્મ કરવા દે નહિ.
સભા : માયા કઈ રીતે ધર્મ કરતાં રોકે ?
માયાવીના મનમાં સારા બનવા કરતાં સારા દેખાવાની વૃત્તિ હોય. આ સારા દેખાવાની વૃત્તિ એને તાત્ત્વિક ધર્મથી દૂર રાખે ! કરે થોડું, દેખાડે વધારે. કરે કશું નહીં છતાં ઘણું કર્યું એમ બતાવે. ધર્મનાં સ્થાનોમાં પણ આગળ આવવા માટે અનેક પ્રકારની ખટપટો ચલાવે, રાજકારણ રમે, છળપ્રપંચ કરે, નબળાને ફસાવે.
થોડું આપે, ઘણું આપ્યું એવો દેખાડો કરે. આપવું ન હોય તો પોતાના સંયોગ ન હોય એવો દેખાવ કરે. આ બધી માયા છે. જે એને ધર્મથી દૂર રાખે છે.
Jain Education International
ધર્મ કરવાનો હોય ત્યારે જ માથું દુ:ખે, પેટ દુઃખે અને સંસારની ક્રિયા કરવાની હોય ત્યારે બધું જ સારું થઈ જાય. આ પણ માયાચાર જ છે ને ?
મારા પરમતારક ગુરુદેવશ્રી ઘણીવાર વ્યાખ્યાનમાં કહેતા કે ઘરમાં પત્ની શ્રાવિકા હોય, અને રોજ પૂજા માટે આગ્રહ કરતી હોય, ભાઈને પૂજા કરવી ન હોય એટલે સ્નાન કરે અને પોતાની જાતે જ પોતાની નાડી તપાસે, પછી કહે તાવ જેવું લાગે છે; આજે પૂજા કરવા જવું નથી અને તેટલામાં કોઈ સાંસારિક કામનો ફોન આવે તો કપડાં પહેરી રવાના થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org