SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ - - ૨ • આતમ જાગો ! 428 અનુકૂળ રસ અનુકૂળ ગંધ અનુકૂળ રૂપ અને અનૂકૂળ શબ્દ આ બધા ઈદ્રિયોના વિષયો અનુકૂળ જોઈએ. પ્રતિકૂળ ન જોઈએ. આ વૃત્તિ ધર્મકાર્યમાં વિજ્ઞકર્તા છે. ઘણાને ધર્મસાધના કરવી હોય તો તે માટે ઇંદ્રિયોના જે અનુકૂળ વિષયો છોડવા પડે છે, તે નથી પાલવતું તો ઘણાને ધર્મસાધના માટે ઇંદ્રિયોને પ્રતિકૂળ હોય તેવા વિષયોની વચ્ચે રહેવું પડે તે નથી પાલવતું. આ ઇંદ્રિયોની ગુલામીના કારણે ઘણા લોકો શક્તિ છતાં-ઈચ્છા છતાં ધાર્યો ધર્મ કરી શકતા નથી અને ધર્મ સાધના માટે મળેલા ઉત્તમ સંયોગોને હારી જાય છે. આમ અનેક રીતે વિષયોની આધીનતા ધર્મકાર્યમાં અંતરાયભૂત બને છે. ઘણાને ખાવાની-પીવાની આધીનતા તપ કરવા નથી દેતી. ઘણાને ઉપાશ્રયમાં ગરમી લાગે છે માટે વ્યાખ્યાનશ્રવણ, સામાયિક-પૌષધ વગેરે કરી શકતા નથી. ઘણાને સ્નાન વિના ચાલતું નથી; મેલા રહેવાતું નથી માટે પૌષધ વગેરે કરી શકતાં નથી. રેડિયો, ટીવી. વગેરેના પ્રોગ્રામમાં ફસાયેલા ઘણા શબ્દ અને રૂપના રસિયા અમને વ્યાખ્યાન પ્રતિક્રમણાદિનો સમય બદલવાની વિનંતિ પણ કરતા હોય છે. વચ્ચે એવો વિષય આવેલો ત્યારે એના રસિયા અમને સમય બદલવાની વિનંતિ કરવા પણ આવેલા. સાહેબ ! સમય બદલશો તો લોકો સારી સંખ્યામાં આરાધનાનો લાભ લઈ શકશે.” ઘણા તો કહે કે “સાહેબ ! હમણાં મેચ ચાલે છે. એટલે આવી નહીં શકાય.” આ બધી ઇંદ્રિયોની ગુલામી છે કે બીજું કાંઈ? આ ઇંદ્રિયોની ગુલામી પણ તમને ધર્મથી દૂર રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy