SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ – કઃ કષાય બંધનની બહુરૂપિતા - 19 – 427 પ્રમાદના આ પ્રમાદ કેટલા છે ? અને એનું સ્વરૂપ શું છે ? પ્રમાદ પાંચ પ્રકારના છે. ૧-મધ, ર-વિષય, ૩-કષાય, ૪-નિદ્રા, પ-વિકથા. ૧–મધ : પહેલો પ્રમાદ છે, નશાખોરી (મદ્ય). કોઈપણ ધર્મ કરતાં આ પ્રમાદ નડતરરૂપ બને છે. • ઉપવાસ કરવાનું મન છે - ચા ન મળે તો માથું ચડી જાય. • અમને કહે “સાહેબ ! બીજી ટેવ નથી દા'ડામાં એક-બે વાર બીડીસિગરેટ પીવું છું. ન પીવું તો ઝાડો સાફ આવતો નથી.' પૌષધ કરેને “પૌષધમાં તમાકું સંધાય ને? અણાહારી છે,” અમને એમ પૂછે. આ તો મામુલી નશાની મેં વાત કરી છે; બાકી નશા કેવા અને કેટલા ? • મોઢામાં ડૂચા નાંખવા, પાન, મસાલા. • બોટલ પીવાં જોઈએ, કેટલાં નામ બોલું ? • ઘણા તો કહે “સાહેબ ! જવનું પાણી તો પીવાય ને ? એ કાંઈ નશો કહેવાય ?' તમે સમજ્યા ને ? અને જો પૂરી ખબર ન હોય તો અમને પણ છેતરીને અમારી સંમતિ લઈ જાય. નશાખોરી એટલી બધી કોઠે પડી ગઈ છે કે, એને નશા તરીકે માનવા પણ તૈયાર નથી. આ મઘ નામનો પ્રમાદ અનેક સ્વરૂપે જોવા મળે છે. જે સાધના માટે આવશ્યક, મનની સ્વસ્થતાને નષ્ટ કરે છે. એને પરવશ પડેલો આરાધના - સાધના કરી શકતો નથી. કરવા જાય તો તેમાં સ્વસ્થતા અનુભવી શકતો નથી. ૨. વિષય : વિષયોની આધીનતા ધર્મકાર્યમાં વિદનકર્તા : પાંચ ઇંદ્રિયોના વિષયો પ્રમાદ છે. અનુકૂળ સ્પર્શ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy