________________
૧૪૭
૨ - આતમ જાગો !
સમ્યગ્દર્શનની આરાધના,
સચ્ચારિત્રની આરાધના,
સમ્યકૃતપની આરાધના કઈ રીતે કરી લઉં ? એવા કોઈ મનોરથો તમને થાય છે ખરા ? મહાનુભાવ ! મળેલા તમારા ઊજળા સંયોગોને સફળ કરવા આ બધી આરાધના-સાધના કરવાની છે.
તમને કોઈ કહે બે વર્ષ માટે વગર વ્યાજે દસ લાખ આપું ? અગર મોટા મોઢાવાળાને બે ક્રોડ, જે જોઈએ તે આપું ? તો શું કરો ? હજુ તો આપ્યા પણ નથી પણ બે મહિના પહેલાં મનમાં કેવું કેવું પ્લાનિંગ શરૂ કરી દો ? મનમાં તો બધું જ ગોઠવી દો ને ? આમ કરશું ને તેમ કરશું. બે ક્રોડના બાવીસ ક્રોડ કરશું. તો મારે તમને કહેવું છે કે અત્યારે પુણ્યના ઉદયથી તમને જે કાંઈ ધર્મસામગ્રી વગેરે મળી છે, તેને સફલ કરવા માટે તમારું પ્લાનિંગ શું ?
આપત્તિની પરંપરાને સર્જનારા પ્રમાદો :
ફરી પૂછી લઉં ?
426
આ બધું પુણ્યથી મળ્યું છે, એ વાત કબૂલ ? એને મારે સાર્થક કરી જ લેવું જોઈએ એમ થાય છે ?
પાંચે પ્રમાદો પારાવાર આપત્તિને નોતરનારા છે અને આપત્તિની પરંપરાને સર્જનારા છે. માટે બહુ જલ્દીથી પ્રમાદનો ત્યાગ કરી દેવો જોઈએ.
પ્રમાદ મહાઆપત્તિને નોતરનારા છે, માટે કહ્યું કે, ‘ગુરૂવાયં' મોટા અપાયભૂત છે. માટે એનો જલ્દી ત્યાગ કરવો જ જોઈએ. જો પ્રમાદ છોડવામાં વિલંબ થયો તો આપત્તિની પરંપરા સર્જાતાં વાર નહિ લાગે. આટલું મળ્યા છતાં તમે ધર્મ કેમ કરતાં નથી ? તેનાં બે કારણો છે.
૧. કિંમત સમજાણી નથી.
૨. પ્રમાદની પરવશતા છે.
Jain Education International
મળેલી દુર્લભ એવી પણ ધર્મસામગ્રીની કિંમત સમજાણી નથી અને કદાચ સમજાણી છે તો પણ પ્રમાદ નડે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org