SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ - ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 – 425 બેડી હોય તો પણ બેડી એ બંધન જ છે અને આખરે તો તે બાંધે જ. પુત્ર હોય કે પરિવાર હોય, ધન હોય કે સંપત્તિ હોય પણ તે બંધન છે. સ્નેહ પણ બંધન છે અને લાગણી પણ બંધન છે. રાગ પણ બંધન છે અને દ્વેષ પણ બંધન છે, આ બંધનોને ઓળખવાં બહુ જ જરૂરી છે. આ બંધનોને બંધન તરીકે ઓળખ્યા વિના એનાથી છૂટવું એ શક્ય નથી. આ રીતે આપણે કર્મબંધનાં કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની વિગતવાર વાત કરી, પણ પ્રમાદ અને યોગની વાત બાકી છે. તેની પણ થોડી વિચારણા કરી લઈએ. પ્રમાદ : જે આત્માને મુંઝવે તે પ્રમાદ કહેવાય. કર્તવ્ય અકર્તવ્યનો ખ્યાલ હોવા છતાં અકર્તવ્યથી બચવામાં અને કર્તવ્યમાર્ગે આગળ વધવામાં કે સ્થિર થવામાં આ પ્રમાદ અવરોધક બને છે. મિથ્યાત્વ અને અવિરતિની હાજરીમાં તો આ પ્રમાદ સાધકને ખૂબ જ પડે છે અને આત્મવિકાસમાં અવરોધ કરે છે, પણ મિથ્યાત્વ અને અવિરતિ સર્વથા ગયા પછી પણ આત્મભાવમાં ઠરવામાં, આત્મરમણતા કરવામાં આ પ્રમાદ બાધક બને છે. જ્યાં સુધી પ્રમાદની હાજરી હોય ત્યાં સુધી સાધક સાતમું વગેરે ગુણસ્થાનક પામી શકતો નથી. સપક કે ઉપશમ શ્રેણી પણ માંડી શકતો નથી. આ પ્રમાદ પાંચ, આઠ અને તેર એમ અનેક પ્રકારે કામ કરે છે. તેને બરાબર ઓળખીને પ્રાથમિક ભૂમિકાથી જ તેનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં પ્રસંગોપાત પ્રમાદની જુદા જુદા ગ્રંથાધારે થોડી વધુ વિગતથી વિચારણા કરી લઈએ. માનવજીવનની એકેક ક્ષણ કિંમતી : માનવજીવનની એકેક ક્ષણમાં તાકાત છે કે અનાદિનાં બાંધેલાં કર્મોનાં ભુક્કો બોલાવી મોશે પહોંચાડે. આ જીવનમાં સમ્યજ્ઞાનની આરાધના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy