________________
૧૪૪
- ૨ - આતમ જાગો !
-
424
ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરે તો પ્રભુશાસનને સાચા અર્થમાં પામેલા સાધકોની દશા તો કેટલી ઊંચી હોવી જોઈએ ?
જેઓ પોતાના કષાયોને ઓળખતા નથી, એને જીતવાનો પ્રયત્ન કરતા નથી, એને આંશિકરૂપે ય જીતીને એનું નિયંત્રણ કરતા નથી, એને કોઈ ઉગારી શકશે નહિ.
આ કષાયો ઘણા ભૂંડા છે. કષાયોની પાછળ નોકષાયો પણ આવે. હાસ્યરતિ-અરતિ-ભય-શોક અને જુગુપ્સા, તે પણ આવે. પુરુષવેદ-સ્ત્રીવેદ અને નપુંસકવેદ પણ સાથે આવે. આ બધાની પરસ્પર અત્યંત મૈત્રી છે. એકબીજા સાથે સંપીને રહે, એકબીજા સાથે સંપીને બેસે, એકબીજાની મદદે દોડીને આવે. એક બીજાનું રક્ષણ કરે. કોઈ કોઈને ઉઘાડા ન પડવા દે. કોઈ કોઈને નિષ્ફળ ન થવા દે.
લોભ હોય એટલે એને સફળ કરવા તેની વહારે માયા આવે, લોભને માયા સાથે બહુમેળ. પાંચ હજાર વાળો પાવલી વાપર અને પોતે ઉદાર છે એમ કહેવડાવે. કષાય અને નોકષાયનાં સહિયારાં હોય છે જેમ ગાંધીને વૈદ્યનું સહિયારું હોય છે, ડૉક્ટર અને પેથોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ અને કેમીસ્ટ વગેરેનું જેમ સહિયારું હોય છે તેમ કષાય અને નોકષાયનું પણ સહિયારું હોય છે. આ કષાયો મિથ્યાત્વની સાથે હોય તો દોષ પણ ગુણરૂપ લાગે.
લોભને સફળતા મળે એટલે એની વહારે માન આવે. એમાં સફળતા ન મળે તો એની વહારે ક્રોધ આવે. શોક અને અરતિ પણ આવે. સફળતા મળે એટલે એની સહાયમાં માન આવે, રતિ આવે, હાસ્ય આવે. એમાં કાંઈક ઊંધું વળે તો ત્યાં શોક આવે. આમ બધા એકબીજા સાથે સંકળાઈને રહે, સંપીને રહે, એકબીજાને સાથ આપે, એકબીજાનો સાથ લે અને એ બધા ઉઘાડા ન પડે તે માટેનું ધ્યાન મિથ્યાત્વ રાખે. એના ટેકામાં માયા ગોઠવાય અને મિથ્યાત્વની મૈત્રીવાળા કષાયો અનંતકાળ સુધી આત્માને મુંઝવ્યા કરે અને અનંત અનુબંધવાળા બંધનો બાંધીને દુરંત સંસારમાં ભટકાવ્યા કરે.
કષાય મોટામાં મોટો હોય કે નાનામાં નાનો હોય પણ બંધન આખરે તો બંધન જ છે. ભલે રેશમનો તાંતણો હોય પણ તે બંધન છે અને લોખંડની બેડી હોય, તો પણ બંધન છે. ભલે એ વજની બેડી હોય, લાકડાની બેડી હોય કે દોરડાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org